SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ અલંકાર કર્યો છે. આ સમયસાર નાટક છે ને? જીવ-અજીવ છે તો બન્નેય ભિન્ન-ભિન્ન, પરંતુ બન્નેય જાણે એક હોય તેમ કર્તાકર્મનો સ્વાંગ રચીને પ્રવેશ કરે છે. કર્તાકર્મનો સ્વાંગ એટલે હું આત્મા કર્તા અને આ રાગાદિ ભાવ તે મારું કર્મ-એમ સ્વાંગ રચીને પ્રવેશ કરે છે. આ સ્વાંગ જૂઠો છે કેમકે આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ, એકલા જ્ઞાનનો રસકંદ પ્રભુ તે દયા, દાન આદિ વિકારી પરિણામને કેમ કરે? એ તો સર્વને જાણેબંધને જાણે, ઉદયને જાણે, નિર્જરાને જાણે અને મોક્ષને જાણે-એવો જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. (જીઓ સમયસાર ગાથા ૩૨૦) તથાપિ હું કર્તા અને રાગાદિ અચેતન વિકાર તે મારું કર્મ એમ અજ્ઞાનીને ભાસે છે. અહાહા! હું અખંડ એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું-એવો જે વિકલ્પ ઊઠે તેનો કર્તા અજ્ઞાની થાય છે, જ્ઞાની નહિ. શુભાશુભ બન્નેય ભાવનો અજ્ઞાની કર્તા થાય છે, જ્ઞાની નહિ. હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તેથી તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે : તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે એટલે જે સમયે અવસ્થામાં રાગ છે તે સમયે જ્ઞાનની પર્યાય સ્વને સ્વપણે અને રાગને ૫૨૫ણે જાણવારૂપે જ પ્રગટ થાય છે. અહાહા....! રાગનો કર્તા તો જીવ નથી, પણ રાગ છે માટે રાગસંબંધી જ્ઞાન થયું છે એમ પણ નથી. રાગનું જ્ઞાન એ તો કથનમાત્ર છે. જ્ઞાનનું જ્ઞાન છે અને તે જ્ઞાન આત્માનું કર્મ છે, રાગ આત્માનું કર્મ નથી અને જ્ઞાન રાગનું કર્મ નથી. અહાહા! આમ સ્વાંગને યથાર્થ જાણનારું જ્ઞાન તે જ્ઞાનના મહિમાનું કળશરૂપ કાવ્ય કહે છેઃ કળશ ૪૬ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન આ કર્તાકર્મ અધિકારનો પહેલો કળશ છે. શું કહે છે એમાં? કે-‘ ફ્F, આ લોકમાં ‘અહમ્ વિદ્' હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો ‘y: ર્તા’ એક કર્તા છું અને ‘અમી જોષાય: આ ક્રોધાદિ ભાવો ‘મે ર્મ' મારાં કર્મ છે ‘કૃતિ અજ્ઞાનાત્ Íર્મ પ્રવૃત્તિમ્' એવી અજ્ઞાનીઓની જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને : શું કહ્યું ? અજ્ઞાની એમ માને છે કે હું કર્તા અને આ ક્રોધાદિ મારાં કર્મ છે. ક્રોધાદિ કહ્યાં એમાં પ્રથમ ક્રોધ કેમ લીધો? કારણ કે મુનિરાજ છે તે ( ક્રોધના અભાવપૂર્વક ) ઉત્તમક્ષમાના ભંડાર છે. અહાહા...! મુનિરાજ તો ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્માની રુચિ અને રમણતાના સ્વામી છે. ભાઈ! આત્મા શુદ્ધ ચિદાનંદમય અખંડ એકરૂપ વસ્તુ છે. તેનો જેને પ્રેમ નથી, રુચિ નથી તેને પોતાના આત્મા પ્રતિ ક્રોધ છે. દ્વેષ અરોચક ભાવ. સ્વભાવની અરુચિ-અણગમો તે અનંતાનુબંધી ક્રોધ છે. પુણ્ય-પાપના ભાવો અને દેવ-શાસ્ત્ર-ગુરુ ઇત્યાદિ ૫૨ પદાર્થોની રુચિ અને સ્વસ્વરૂપની અરુચિ તે આત્મા પ્રત્યેનો દ્વેષ છે અને તે અનંતાનુબંધી ક્રોધ છે. તેવી રીતે પુણ્ય-પાપ આદિ ૫૨ પદાર્થોમાં અહંબુદ્ધિ થવી એ અનંતાનુબંધી Please inform us of any errors on rajesh@Atma Dharma.com "
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy