SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૭૯ जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य सह जीवेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत् ण विपरिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए । पोग्गलदव्वं पि तहा परिणमदि सएहिं भावेहिं ।। ७९ ।। नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये। पुद्गलद्रव्यमपि तथा परिणमति स्वकैर्भावैः।। ७९ ।। હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્દગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છે: એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે, પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯. ગાથાર્થ:- [ તથા] એવી રીતે [પુ દ્રવ્યમ્ અપિ] પુદ્દગલદ્રવ્ય પણ [પરદ્રવ્યપર્યાય ] પરદ્રવ્યના પર્યાયરૂપ [ન અપિ પરિણમતિ] પરિણમતું નથી, [ત્ત વૃદ્ઘાતિ] તેને ગ્રહણ કરતું નથી અને [ત્ત ઉત્પદ્યતે] તે-રૂપે ઊપજતું નથી; કારણ કે તે [ સ્વò: માવૈ: ] પોતાના જ ભાવોથી ( –ભાવોરૂપ ) [ પરિણમતિ ] પરિણમે છે. ટીકા:- જેમ માટી પોતે ઘડામાં અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે તેમ જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્દગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં અંતર્ધ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું નથી, તે-રૂપે પરિણમતું નથી અને તે-રૂપે ઊપજતું નથી; પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં ( તે પુદ્દગલદ્રવ્ય ) પોતે અંતર્ધ્યાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તે-રૂપે જ પરિણમે છે અને તે-રૂપે જ ઊપજે છે; માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્દગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્દગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી. Please inform us of any errors on [email protected]
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy