SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001,a: remember to check htÎp://www.AtmaDharma.com for updates ગાથા-૪૪ વ્હત: एदे सव्वे भावा पोग्गलदव्वपरिणामणिप्पण्णा । केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वृच्चंति ।। ४४ ।। एते सर्वे भावाः पुद्गलद्रव्यपरिणामनिष्पन्नाः। केवलिजिनैर्भणिताः कथं ते जीव इत्युच्यन्ते ॥ ४४ । એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી તે કહે છે: પુદ્ગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ સહુ કેવળીજિન ભાખિયા, તે જીવ કેમ કહો ભલા ? ૪૪. ગાથાર્થ:- [તે] આ પૂર્વે કહેલાં અધ્યવસાન આદિ [ સર્વે ભાવ: ] ભાવો છે તે બધાય [પુઃ તદ્રવ્યપરિણામનિષ્પન્ના: ] પુદ્દગલદ્રવ્યના પરિણામથી નીપજ્યા છે એમ [ Òવનિબિનૈ: ] કેવળી સર્વજ્ઞ જિનદેવોએ [મળિતા: ] કહ્યું છે [તે] તેમને [ નીવ: તિ] જીવ એમ [થં રવ્યન્તે] કેમ કહી શકાય ? ટીકા:- આ અધ્યવસાનાદિ ભાવો છે તે બધાય, વિશ્વને (સમસ્ત પદાર્થોને ) સાક્ષાત્ દેખનારા ભગવાન (વીતરાગ સર્વજ્ઞ ) અદ્વૈતદેવો વડે, પુદ્દગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી, તેઓ ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી કે જે જીવદ્રવ્ય ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્દગલદ્રવ્યથી અતિરિક્ત (ભિન્ન ) કહેવામાં આવ્યું છે; માટે જેઓ આ અધ્યવસાનાદિકને જીવ કહે છે તેઓ ખરેખર ૫૨માર્થવાદી નથી કેમ કે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. તેમાં, ‘તેઓ જીવ નથી ’ એવું આ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે અને આ (નીચે પ્રમાણે) સ્વાનુભવગર્ભિત યુક્તિ છેઃ-સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગ-દ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી કારણ કે, કાલિમા (કાળપ) થી જુદા સુવર્ણની જેમ, એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિત્ત્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પ્રત્યક્ષ ચૈતન્યભાવને જીદો અનુભવે છે. ૧. અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું કર્મ છે તે પણ જીવ નથી કારણ કે કર્મથી જીદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૨. તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy