SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001,a: remember to check h††p://www.AtmaDharma.com for updates ૧૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ માટે આવે છે પણ તે નિશ્ચયની અપેક્ષાએ જૂઠો છે એમ કહે છે. બીજો કોઈ ઉપાય નથી તેથી વ્યવહારથી સમજાવવામાં આવે છે. આવો ઉપદેશ છે! આ પ્રમાણે સૂત્ર વિશે જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે અજ્ઞાની જીવને રંગ-રાગ-વાળો જ જીવ પ્રસિદ્ધ છે. પર્યાયબુદ્ધિવાળા જીવોને રાગવાળો જીવ જ પ્રસિદ્ધ છે. એક સમયની પર્યાયની પાછળ અંદર આખું પરિપૂર્ણ વસ્તુનું ચૈતન્યદળ પડેલું છે, પરંતુ પર્યાયની રમતમાં જીવને રાગ જ જણાય છે અને તેથી તે પર્યાયબુદ્ધિ છે. તેને સમજાવતાં કહે છે કે ‘પર્યાયમાં ૨ાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગમય નથી.' પર્યાયની પાછળ તો આખો ચૈતન્યઘન પડયો છે ને! શક્તિ અને સ્વભાવનો પિંડ પ્રભુ વિજ્ઞાનઘન છે. એમાં વર્તમાન પર્યાયનો પ્રવેશ નથી. અરે! નિર્મળ પર્યાયના પણ પ્રવેશનો અવકાશ નથી એવો એ થન પ્રભુ છે. અહા ! નિર્મળ પર્યાય પણ વિજ્ઞાનઘન આત્માની ઉપર તરે છે. અહીં અજ્ઞાનીને એમ કહે છે કે પ્રભુ! એક વાર સાંભળ. તને શુદ્ધ આત્મા જાણીતો નથી, માટે જાણીતી ચીજથી-રાગથી તને કહ્યું કે ‘આ રાગવાળો જીવ.' આટલું કહીને ‘તે રાગમય ’ છે એમ નથી કહ્યું, પણ ‘તે જ્ઞાનમય’ છે એમ કહ્યું છે. ‘આ રાગવાળો જીવ ' એમ તને જે ખ્યાલમાં છે તે જીવ જ્ઞાનમય છે. અહાહા ! શું ઉપદેશ છે! પ્રશ્ન:- આમાં કરવાનું શું આવ્યું? ઉત્તર:- ભાઈ! સત્ય સમજણ કરી સાચું શ્રદ્ધાન કરવું. અહાહા! વસ્તુ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ આત્મા છે તે તરફ ઢળવું, વળવું અને એમાં જ રમવું એ કરવાનું છે. આઠમી ગાથામાં કહ્યું છે કે ગમે તેવો હોશિયાર જીવ હોય તોપણ આત્માને સમજાવવો હોય તો વ્યવહાર દ્વારા સમજાવાય છે. ત્યાં ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા' એમ વ્યવહાર કહ્યો છે. જ્યારે અહીં ‘રાગવાળો જીવ’ એમ કહીને ‘તે જ્ઞાનમય છે, રાગમય નથી ' એમ કહ્યું છે. પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રને અર્થાત્ નિર્મળ પર્યાયને પ્રાપ્ત કરે તે આત્મા એમ સમજાવવા માટે વ્યવહાર કહ્યો, પરંતુ એ વ્યવહાર કહેનારને (તથા સાંભળનારને ) અનુસરવા લાયક નથી. ભાઈ! આ તો જેને આત્માનુભવ કરવો હોય એની વાત છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ * કળશ ૪૦ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘ શ્વેત્’ જો ‘ ધૃતકુંભામિષાને અપિ’ ‘ઘીનો ઘડો’ એમ કહેતાં પણ ‘ છુંમ: ધૃતમય: ન’ ઘડો છે તે ઘીમય નથી, માટીમય જ છે. ઘી તો સંયોગી ચીજ છે. એ કાંઈ માટીના સ્વભાવમય ચીજ નથી. ઘીની સાથે તો માટીનો ઘડો સંયોગ સંબંધે છે. તેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy