SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ પંચમકાળ છે ને! ભાઈ ! સમય બદલતાં વસ્તુનું સ્વરૂપ કાંઈ બદલતું નથી. વીતરાગનો પંથ તો સદાય એક જ છે. શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે ને કે એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.' રાગ અને દ્રષના પરિણામને પુગલના કેમ કહ્યા? એક તો તેઓ નીકળી જાય છે અને બીજું તેઓ જીવના સ્વભાવમય નથી માટે તેમને પુદ્ગલના કહ્યા છે. પરંતુ તે કર્મના જ છે અને નિમિત્તથી જ થાય છે એમ એકાંતે (પર્યાયને) સિદ્ધ કરવા જશો તો દ્રવ્ય જ ઉડી જશે. પરંતુ પર્યાય (સ્વત:) સિદ્ધ છે. પર્યાયમાં જે રાગની સિદ્ધિ છે તે એનું ઉપાદાન છે અને એમાં પર નિમિત્ત છે. પરકારકની અપેક્ષા વિનાનું એનું પરિણમન અનાદિથી સિદ્ધ છે. જ્યાં બે કારણથી કાર્ય થાય એમ કહ્યું હોય ત્યાં જોડે નિમિત્ત છે એનું જ્ઞાન કરાવવા કહ્યું છે. ખરેખર કાર્ય તો એકથી (ઉપાદાનથી) જ થયું છે. એકથી જ કાર્ય થયું છે એ દૃષ્ટિમાં રાખીને, નિમિત્તથી થયું છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. જ્યારે અહીં તો એ બન્ને વાતને ઉડાડીને વસ્તુના સ્વભાવની દષ્ટિ કરાવી છે. એક સમયની પર્યાયમાં જે રાગ-ભેદાદિ ભાવો થાય છે તે પુગલનું જ નિર્માણ છે કેમકે તે ચૈતન્યસ્વરૂપ વસ્તુમાં નથી. વસ્તુ તો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘન સચ્ચિદાનંદ-સ્વરૂપ ભગવાન છે. એ વિકાર અને ભેદનું કારણ કેમ થાય ? તેથી નિમિત્તને આધીન થયેલા રાગ અને ભેદના ભાવો પુદ્ગલની જ રચના છે એમ જાણો એટલે અનુભવો એમ કહ્યું છે. આત્મામાં અનંત ગુણ તો બધા નિર્મળ-પવિત્ર છે. એમાં કોઈ ગુણ કે શક્તિ એવો નથી કે વિકાર કરે. તેથી જ ૪૭ શક્તિના વર્ણનમાં નિર્મળ ક્રમબદ્ધપર્યાયને જ જીવની લીધી છે. ત્યાં અશુદ્ધતા લીધી જ નથી, કેમકે શક્તિ શુદ્ધ છે તો એનું પરિણમન શુદ્ધ જ હોય છે. અશુદ્ધતા છે એનું તો બસ જ્ઞાન થઈ જાય એટલું જ. આવો વીતરાગનો માલ છે તે સંતો આડતિયા થઈને જાહેર કરે છે, આપે છે. ત્રણલોકના નાથ પરમાત્મા જિનેશ્વરદેવ, ગણધરો અને ઇદ્રોની સભામાં એમ કહેતા હતા કે વસ્તુમાં જે રાગ અને ભેદના ભાવો પર્યાયમાં થાય છે તે પુદ્ગલનું કાર્ય છે એમ જાણો. એ તારું-આત્માનું કાર્ય નથી. અહાહા! પ્રભુ! કારણપરમાત્મા તો જે નિર્મળ પરિણમન થાય એનું કારણ છે. ‘તત:' માટે ‘’ આ ભાવો “પુન: વ અસ્તુ' પુદ્ગલ જ હો, ‘ન માત્મા’ આત્મા ન હો. જુઓ, પહેલાં “દિ' કહ્યું હતું અને અહીં પણ “વ” પદ લગાડયું છે. વ્રત, તપ, ભક્તિ, આદિ રાગથી કલ્યાણ થશે એમ માનનારને બહુ આકરું પડે એવી વાત છે. પણ ભક્તિ આદિ તો વિકલ્પ છે, આત્મા નથી; Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy