SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૬ર ] [ ૧૬૧ એમ કહે છે. અહીં તો ત્રિકાળી સ્વભાવ અને સ્વભાવની દષ્ટિ બતાવવી છે ને? તેથી કહે છે કે-આ રાગ અને ભેદ આદિના ભાવ જેમ પુદ્ગલની સાથે સંબંધ રાખે છે તેમ જીવની સાથે પણ સંબંધ રાખે છે એમ માનો તો જીવ અને પુગલમાં કોઈ ભેદ ન રહે. ચૈતન્યમય ભગવાન આત્માના શુદ્ધ સ્વભાવમાં રાગાદિ છે જ નહીં. તેથી રાગાદિનો સંબંધ પુદ્ગલ સાથે ગણીને, પોતાનો અભેદસ્વભાવ ભિન્ન બતાવ્યો છે. વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના બધાય ભાવોને જેમ પુદ્ગલની સાથે તાદાભ્ય સંબંધ છે તેમ જીવની સાથે પણ તાદાભ્યપણું હોય તો જીવ અને પુદગલમાં કોઈ ભેદ રહેતો નથી. આમ થવાથી જીવનો જ અભાવ થાય. ચૈતન્યપ્રકાશની મૂર્તિ ઝળહળજ્યોતિ-સ્વરૂપ ભગવાન આત્મા અંદર શાશ્વત બિરાજે છે. તે જ્ઞાયક ચૈતન્યજ્યોતિને રાગાદિ સાથે તાદાભ્ય હોય તો આત્મા અચેતન થઈ જાય એમ કહે છે. જેમ શરીર, કર્મ, આદિ પુદ્ગલ અચેતન છે તેમ શુભરાગ પણ અચેતન છે. વ્યવહાર રત્નત્રયનો રાગ પણ અચેતન છે અને પુદ્ગલની સાથે તાદાભ્યરૂપે છે, કેમકે રાગમાં ચૈતન્યસ્વભાવનો અભાવ છે. છઠ્ઠી ગાથાની ટીકામાં પણ આવે છે કે જ્ઞાયકસ્વભાવી ચૈતન્યજ્યોત કદીય શુભાશુભભાવોના સ્વભાવે જડપણે થતી નથી. ગાથા ૭રમાં પણ એ શુભાશુભભાવરૂપ આગ્નવોને વિપરીત સ્વભાવવાળા એટલે જડ કહ્યા છે. આવી ચિન્માત્ર વસ્તુ એકરૂપ આત્મા છે તે રાગરૂપે કેમ થાય? રાગ છે તો જીવની પર્યાયમાં, અને તે ચારિત્રગુણની દોષરૂપ વિપરીત પર્યાય છે, પરંતુ સ્વભાવની દૃષ્ટિથી ત્રિકાળી ઝળહળ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ ભગવાન આત્માને જોતાં તે ભિન્ન અચેતનપણે જણાય છે. માટે રાગ જેમ પુદગલથી તદ્રુપ છે તેમ જો આત્માથી તદ્રુપ છે એમ માનો તો આત્મા અચેતન થઈ જાય ભાઈ, જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે. અહાહા! ચૈતન્યપ્રકાશનું પૂર પ્રભુ આત્મા છે. તેમાં વ્યવહારરત્નત્રયનો રાગ પણ સમાતો નથી, વ્યાપતો નથી, કેમકે રાગ છે તે પુલની સાથે તાદાભ્યપણે છે. તેથી જીવને રાગથી સંબંધ છે એમ જો કહો તો જીવ પુદ્ગલમય થઈ જાય, અચેતન થઈ જાય. સ્વપરપ્રકાશક ચેતન્યજ્યોતિસ્વરૂપ આત્મા રાગને પ્રકાશે છે, જાણે છે, પણ તે રાગરૂપ થતો નથી. ભાઈ ! આ સમજવા માટે પરથી ઘણા ઉદાસીન થવું જોઈએ. અહીં કહે છે કે અચેતન રાગ પુદ્ગલથી એકરૂપ છે માટે એનાથી તું ઉદાસ થઈ જા. પ્રભુ! એ તારી ચીજ નથી તેથી અંતર્મુખ થઈ તારું આસન જ્ઞાયક સ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાનમાં જમાવી દે. જો તું રાગથી તાદાભ્ય સંબંધ કરવા જઈશ તો તું અચેતન થઈ જઈશ અને તેથી તારો-જીવનો જ અભાવ થઈ જશે એવો મહાદોષ આવશે. આકરી વાત, ભગવાન! પણ વાત તો આ જ છે. [ પ્રવચન નં. ૧૩૩-૧૩૬ (ચાલુ ૧૯મી વારનાં) * દિનાંક ૧૩-૧૧-૭૮ થી ૧૫-૧૧-૭૮] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy