SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ ] | પ્રવચન રત્નાકર ભાગ-૩ સ્વરૂપ નથી. રાગાદિ તો જીવનું સ્વરૂપ નથી પણ ભેદસ્વરૂપ પણ નિશ્ચયથી જીવ નથી. નિયમસાર ગાથા ૫૦માં આવે છે કે પર્યાય છે તે પરદ્રવ્ય છે અને તેથી નિશ્ચયે તે જીવનું સ્વરૂપ નથી. ભાઈ ! અભેદ દષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. અને તેમાં (અભેદની દષ્ટિ થવામાં) નિમિત્ત કે વ્યવહાર કાંઈ મદદગાર નથી. અહાહા ! ગજબ વાત છે! જેનું લક્ષણ વિકલ્પ-ભેદ છે એવા મતિ. શ્રત. આદિ જ્ઞાનના ભેદો શદ્ધ જીવને નથી. આવો વીતરાગ બહુ ઝીણો છે. સાવધાનીથી (ઉપયોગને સૂક્ષ્મ કરીને) સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્મા અભેદ એકરૂપ ત્રિકાળી દ્રવ્ય છે. તેમાં ભેદ કેવો? તેમાં રાગ કેવો? અને તેમાં એક સમયની પર્યાય કેવી? ગંભીર વાત છે, ભાઈ ! કાળ થોડો છે અને કરવાનું ઘણું છે. ત્યાં વળી જીવને બહારનો મોહુ બહુ છે. બહારનો ત્યાગ જોઈને તે ખૂબ રાજી-રાજી થઈ જાય છે. રનો ત્યાગ આત્મામાં છે કયાં? અહીં તો કહે છે કે જ્ઞાનના ભેદ આત્મામાં નથી તો એ સઘળા બાહ્ય ક્રિયાકાંડ વસ્તુમાં કયાંથી હોય? ભારે આકરી વાત, ભાઈ ! પ્રથમ મિથ્યાત્વના ત્યાગ વિના બીજો ત્યાગ હોઈ શકે જ નહિ. એ મિથ્યાત્વના ત્યાગ માટે શું છોડવું? તો કહે છે કે નિમિત્તને, રાગને અને ભેદને દષ્ટિમાંથી છોડવાં, અને અભેદ એકરૂપ નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્માની દૃષ્ટિ કરવી. સર્વજ્ઞ પરમેશ્વરે આ જ માર્ગ કહ્યો છે. હવે સંયમ એટલે ચારિત્રની વાત કરે છે. સંયમના પણ ભેદો જીવને નથી કેમકે તે પદગલ પરિણામ છે. આત્મા શદ્ધ જ્ઞાયકભાવ ત્રિકાળ એકરૂપ છે. તેમાં સંયમના ભેદ ભેદના લક્ષે તો રાગ જ થાય છે. માટે અભેદમાં ચારિત્રના ભેદો પાડવા એ પુદગલના પરિણામ છે. ચારિત્ર પર્યાય છે અને ચારિત્ર ત્રિકાળી ગુણ પણ છે. એ ત્રિકાળી ચારિત્ર ગુણના ભેદ પર્યાયમાં ભાસવા તે વિકલ્પનું કારણ છે. તેથી ભેદને પુદગલના પરિણામ કહ્યા છે. સંયમસ્થાનો ‘વિકલ્પલક્ષણાનિ' એટલે ભેદસ્વરૂપ છે. માટે ત્રિકાળી શુદ્ધ જીવદ્રવ્યમાં આ સંયમનાં ભેદસ્થાનો નથી. માર્ગ બહુ અલૌકિક છે, ભાઈ. પરંતુ લોકોએ તેને બહારના માપથી કલ્પી લીધો છે કે આ ત્યાગ કર્યો અને આ રાગ ઘટાડયો. પણ ધ્રુવ ચૈતન્યવહુ દષ્ટિમાં આવ્યા વિના રાગ કેમ ઘટે ? અહાહા! રાગનો તથા ભેદનો જેમાં અભાવ છે તેવા દષ્ટિના વિષયને દૃષ્ટિમાં લીધા વિના રાગ ઘટે કેવી રીતે ( અર્થાત્ ખરેખર રાગ ત્યાંસુધી ઘટતો નથી.) મોક્ષમાર્ગ પ્રકાશકમાં શિષ્ય પ્રશ્ન કર્યો છે કે પ્રભુ! શુભભાવવાળાને અશુભ રાગ તો ઘટે છે. માટે એટલું ચારિત્ર તો કહો? ત્યાં કહ્યું છે કે સમ્યગ્દર્શન જેને હોય, જેને અભેદની દૃષ્ટિ થઈ હોય તેને જ શુભભાવમાં અશુભ રાગ ઘટે છે. પણ જેને વસ્તુની દષ્ટિ થઈ નથી, જે ચૈતન્યનિધાન છે તે નજરમાં આવ્યું નથી, તે જીવને શુભભાવ વખતે અશુભભાવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008284
Book TitlePravachana Ratnakar 03
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy