SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ [ સમયસાર પ્રવચન વ્યાપનારો છે; આત્મા ૫૨માં વ્યાપેલો નથી એમ કહેવું છે. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપીને પોતાનું અસ્તિત્વ છે, ૫૨માં નહીં. હવે દ્રવ્ય-ગુણ-પર્યાયથી વ્યાસ છે જે આત્મા, તે સમ્યગ્દર્શનનો વિષય નથી. અહીં તો આત્મા પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપે છે એટલું અસ્તિત્વ સિદ્ધ કરવું છે. વળી તે કેવો છે? ‘શુદ્ઘનયત: ત્વે નિયતત્ત્વ' શુદ્ઘનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આત્મા પોતાના જ્ઞાન, દર્શન, આદિ ગુણો અને પર્યાયોમાં વ્યાપનારો હોવા છતાં શુદ્ઘનયથી તેને એકપણામાં નિયત કરવામાં આવ્યો છે. જેમાં ગુણ–ગુણીના કે પર્યાયના ભેદો નથી એવો અભેદ એકરૂપ ત્રિકાળી આત્મા શુદ્ઘનય વડે બતાવવામાં આવ્યો છે. વળી તે કેવો છે? ‘ પૂર્ણ-જ્ઞાન-ધનસ્ય’ પૂર્ણજ્ઞાનઘન છે. જેમાં પર્યાય કે ભેદનો પ્રવેશ નથી એવો જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી છે. અહીં જ્ઞાનગુણની પ્રધાનતાથી કથન છે. શુદ્ઘનય આત્મવસ્તુને ત્રિકાળ એકરૂપ અભેદ જ્ઞાયકમાત્ર ચૈતન્યઘનસ્વરૂપ દેખાડે છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે. તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન થાય છે. ‘7' વળી ‘તાવાન્ અયં આત્મા' જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. પૂર્ણજ્ઞાનયન એકરૂપ જે આત્મા તેના આશ્રયે જે પ્રતીતિ-શ્રદ્ધા થઈ, સમ્યગ્દર્શન થયું તે આત્માનું પરિણામ છે તેથી જેટલું સમ્યગ્દર્શન છે તેટલો આત્મા છે એમ કહ્યું છે. સમ્યગ્દર્શનનું પરિણામ આત્માથી ભિન્ન નથી. હવે આચાર્ય પ્રાર્થના કરતાં કહે છે.- ‘મામ્ નવતત્ત્વ-સન્નતિ મુત્ત્વા' આ નવતત્ત્વની પરિપાટીને છોડીને ‘અયમ્ આત્મા : અસ્તુ ન:' આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. અહીં નવ તત્ત્વ કહ્યાં. તેમાં જીવ-અજીવ દ્રવ્યો છે. દયા દાનના પરિણામ પુણ્ય છે, તથા હિંસા, જૂઠ, ચોરી આદિ પાપ છે. પુણ્ય અને પાપ બંને આસ્રવ છે. એ નવા કર્મ આવવાનું કારણ છે. તેને રોકનાર સંવર છે. વિશેષ શુદ્ધિ થાય તે નિર્જરા છે. તથા બંધ છે તે કર્મ બંધાવામાં નિમિત્ત છે. પરિપૂર્ણ શુદ્ધદશા થાય તે મોક્ષ છે. અહીં આચાર્ય કહે છે કે આ નવતત્ત્વની પરિપાટીને છોડીને શુદ્ઘનયનો વિષય જે ધ્રુવ આત્મા તે અમોને પ્રાપ્ત થાઓ, બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગી અવસ્થાની પ્રાર્થના છે. કોઈ નયપક્ષ નથી. નિશ્ચયનયનો એકનો પક્ષ છે અને બીજો પક્ષ છે જ નહીં એમ નથી. (એકલો નિશ્ચયનય જ છે અને વ્યવહારનય નથી એમ નથી) નિશ્ચયનો પક્ષ એકાંત કર્યા કરે તો મિથ્યાત્વ થશે. (વ્યવહા૨નય વિષયને જાણવામાં થી પણ કાઢી નાખે તો મિથ્યાત્વ થશે) અહીં તો રાગ અને ભેદ ૫૨ લક્ષ જતાં રાગ થાય છે માટે એક અભેદના અનુભવની, વીતરાગતાની પ્રાર્થના કરી છે. આ એક જ પ્રાપ્ત થાઓ એટલે રાગ અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008282
Book TitlePravachana Ratnakar 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy