SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૦] [૪૫ ભાવના = એકાગ્રતા. અરે! આવું સ્વરૂપ જેને કાને પણ ન પડે અને આવા સ્વરૂપને જે વિચારણામાં પણ લે નહીં તે અંદરમાં પ્રયોગ કરીને નિજ પરમાત્મામાં પહોંચે કઈ રીતે ? આવા સ્વરૂપની અંદર જય શી રીતે? – એમ કહે છે. કહે છે કે નિજ કારણપરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત એટલે કે આત્માનું જ સ્વરૂપ છે – આત્માનો જે ભાવ છે – તેમાં સ્થિર રહેલા એવા “પરમસંયમીઓને’... દેખો! ‘પરમસંયમી લીધા છે. કેમ કે વર મૂકીને (વિનાની) એકલી જાન કોની? કોઈની નહીં. તેમ ચૈતન્ય ભગવાન આત્મા જ્યાં જાગ્યો નથી ત્યાં વ્રતના બધા વિકલ્પો મડદા સમાન છે. તેને વ્રત કહેવાતા નથી. અહા! ભાષા જુઓને કેવી કરી છે? કે “પરમસંયમીઓ”.... જેમાં વિકલ્પની તેમ જ ચાર ભાવરૂપ પર્યાયની પણ ગંધ નથી એવા પરમ ભગવાનમાં (-આત્મામાં) જે અવસ્થિત છે તે પરમસંયમી છે. અહીં તો જો કે આત્માને સર્વ પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ કહ્યો છે, તો પણ તેમાં ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક-એ ચાર પ્રકારની પર્યાય નથી. તો, એ પર્યાયો રહિત જેનું સ્વરૂપ છે એવી પોતાની ચીજમાં જે અવસ્થિત—નિશ્ચયથી સ્થિર છે તે ચારિત્રપર્યાયવંત પરમસંયમી છે. તે પોતાના સ્વરૂપમાં અવસ્થિત થયો ત્યારે તેની સાથે સ્વરૂપની શ્રદ્ધા પણ આવી, તેનું જ્ઞાન પણ આવ્યું અને ચારિત્ર પણ આવ્યું – ત્રણેય સાથે આવ્યા. કારણ કે સ્વરૂપમાં અવસ્થિત ક્યારે થયો? કે જ્યારે તેની શ્રદ્ધા થઈને જ્ઞાન થયું ત્યારે તેમાં અવસ્થિત થયો-ઠર્યો. અહા! “પરમસંયમીઓને–પરમ જિનયોગીશ્વરોને'... જુઓ, બીજું વિશેષણ આપ્યું. ટીકામાં પણ છે ને? કે પરમમિના પરનનો વિશ્વાળાં. પરમ+જિનમ્યોગ+ઈશ્વર એટલે કે જેણે પોતાના પરમાત્મમય નિજ સ્વરૂપમાં જોડાણ કર્યું છે, પોતાના વીતરાગભાવમાં યોગ છેડ્યો છે તે યોગી છે અને તેના પણ જે ઈશ્વર છે તે પરમજિનયોગીશ્વર છે. જે કે સમ્યગ્દષ્ટિએ પણ પોતાના પરમાત્મામાં યોગ છેડ્યો છે, પરંતુ મુનિ તો પરમજિનયોગીશ્વર છે એમ કહે છે. આવા મુનિને અર્થાત્ “સદાય નિશ્ચયવ્યવહારાત્મક સુંદર ચારિત્રભરા વહનારાઓને’...લ્યો, નિશ્ચય અને વ્યવહાર-એ બન્ને સાથે લીધા છે. નિશ્ચય એટલે વસ્તુમાં અવસ્થિત દશારૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને વ્યવહાર એટલે વિકલ્પ. આવા નિશ્ચયવ્યવહારસ્વરૂપ સુંદર ચારિત્ર છે તેના અતિશયપણાને-સમૂહપણાને વહનારાઓને “બાહ્ય-અત્યંતર ચોવીશ પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ...'. જુઓ, હવે ‘સન્વેસિ પાંથા વાતો' નો અર્થ આવ્યો કે દસ પ્રકારનો બાહ્ય અને ચૌદ પ્રકારનો અત્યંતર એમ બધા ચોવીશ પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ મુનિને હોય છે. અહા! આત્મવસ્તુ તો પરિગ્રહ રહિત છે જ, હવે પરિણામમાં પણ પરિગ્રહનો ત્યાગ થયો એમ કહે છે. આવો સર્વ પરિગ્રહના ત્યાગસ્વરૂપ પરિણામ છે તે “પરંપરાએ
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy