SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૫૮] (હવે ૫૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:) (આf) आकर्षति रत्नानां संचयमुच्चैरचौर्य्यमेतदिह । स्वर्ग स्त्रीसुखमूलं क्रमेण मुक्त्यंगनायाश्च 119211 (શ્લોકાર્થ:-) આ ઉગ્ર અચૌર્ય આ લોકમાં રત્નોના સંચયને આકર્ષે છે અને (પરલોકમાં) સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે. તેમ જ ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે. ૭૮. ગાથા - pa [૨૭ ૫૮ ઉપરનું પ્રવચન ‘આ, ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે.’ હવે ગ્રામ વગેરેની અલગ-અલગ વ્યાખ્યા કરે છે: ‘જેના ફરતી વાડ હોય તે ગ્રામ (ગામડું) છે.' ગામડું તેને કહેવાય કે જેને થોર આદિની વાડ હોય. ગામડામાં કયાં ગઢ આદિ હોય? ત્યાં તો વાડ હોય. તેથી, થોર આદિની વાડ હોય તેને ગ્રામ-ગામડું કહે છે. આવા ગામમાં કોઈ ચીજ પડેલી હોય કોઈક તેને ભુલી ગયું હોય, તે પડી ગઈ હોય અથવા પછી લેવા આવશું એમ ધારીને કોઈએ તેને રાખી–મુકી હોય · તો તેને ગ્રહવાના કે લેવાના પરિણામ મુનિ છોડી દે છે અને તેનું નામ ત્રીજું વ્રત છે કે જે શુભભાવ છે. - ‘જે ચાર દરવાજાથી સુશોભિત હોય તે નગર છે.’ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ - એમ ચાર બાજુ જેને ચાર દરવાજા હોય તેને નગર કહેવાય છે. તેમાં પણ બીજાથી તજાયેલી, મુકાયેલી, પડી ગયેલી કે ભુલાઈ ગયેલી પરવસ્તુને દેખીને તેના સ્વીકારપરિણામને છોડે તેને લેવાના પરિણામને છોડે તેનું નામ ત્રીજું વ્રત છે. ચારિત્રવંતના આવા પરિણામને ત્રીજું વ્રત કહેવામાં આવે છે. —
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy