SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – પ૬] [૧૧ છે એમ તેનું જ્ઞાન કરાવ્યું છે. શુદ્ધપરિણતિરૂપ નિશ્ચય સાધન છે તેનો આરોપ આપીને શુભ પરિણતિને વ્યવહાર સાધન કહ્યું છે, પરંતુ તે સાધન છે નહીં. નિશ્ચય સાધન અને વ્યવહાર સાધન એમ શાસ્ત્રમાં કહ્યું છે, પણ સાધન બે પ્રકારે છે જ નહીં. (હા), સાધનનું કથન બે પ્રકારે છે. સાધન તો એક નિશ્ચય જ છે અને તે જ (યથાર્થ) સાધન છે. જ્યારે બીજું વ્યવહાર સાધન, સાધન નથી. છતાં તેને – જે સાધન નથી તેને - વ્યવહારનય સાધન તરીકે કહે છે. કેમ કે સાધકની ભૂમિકામાં એવો શુભભાવ હોય છે એવું જણાવવા વ્યવહારને પણ આરોપથી – ઉપચારથી સાધન તરીકે કહેવામાં આવે અહીં કહ્યું કે હિંસાના પરિણામના ત્યાગરૂપ પ્રયત્નમાં પરાયણને અહિંસાવૃત હોય પ્રશ્ન:- મુનિ નિશ્ચયમાં પ્રયત્નપરાયણ તો છે જ, પરંતુ તેમને વ્યવહાર પ્રયત્નપરાયણ પણ કેમ કહ્યાં? સમાધાન:- મુનિ હિંસાના ભાવનો અભાવ કરવારૂપ પ્રયત્નમાં પરાયણ છે. માટે તેઓ વ્યવહાર પ્રયત્નપરાયણ – વ્યવહાર પ્રયત્નમાં તત્પર – છે એમ કહ્યું છે. આ રીતે તેમને હિંસાના પરિણામને છોડવારૂપ - અભાવ કરવારૂપ - વ્યવહાર પ્રયત્નપરાયણ કહેવામાં આવે છે. લ્યો, આ વ્યવહાર અહિંસાવ્રતની વ્યાખ્યા! છે આધારના શ્લોક ઉપરનું પ્રવચન છે ભગવાનને વિકૃત વેશ પણ નથી અને ઉપધિ-પરિગ્રહ પણ નથી એમ હવે કહે છે. જગતમાં વિદિત છે કે જીવોની અહિંસા પરમ બ્રહ્મ છે.' આ નિશ્ચય અહિંસાની વાત છે. તે અહિંસા આત્માનો પરમ બ્રહ્મ – પરમ શુદ્ધ આત્મધર્મ છે. રાગની ઉત્પત્તિ તે હિંસા છે અને રાગની અનુત્પત્તિ તે અહિંસા છે. સ્વભાવના આશ્રયે રાગ વિનાની વીતરાગ પરિણતિની ઉત્પત્તિ તે અહિંસા છે અને તે પરમ બ્રહ્મ છે. આનું કહે છે કે, જગતમાં વિદિત છે – પ્રસિદ્ધ છે. કેમ કે હિંસા પરમો ધર્મ - એમ કહેવાય છે ને? પરંતુ તે કઈ અહિંસા? કે જેવો પૂર્ણાનંદ ભગવાન આત્મા છે તેવી શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારીને તેમાં કરવું તેનું નામ નિશ્ચય-પરમ અહિંસા
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy