SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ (હવે ૬૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે.) (શાર્દૂતવિક્રીડિત) शस्ताशस्तमनोवचस्समुदयं त्यक्त्वात्मनिष्ठापरः शुद्धाशुद्धनयातिरिक्तमनघं चिन्मात्रचिन्तामणिम् । प्राप्यानंतचतुष्टयात्मकतया सार्धं स्थितां सर्वदा जीवन्मुक्तिमुपैति योगितिलकः पापाटवीपावकः ॥१४॥ (શ્લોકાર્થ:-) પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવો યોગતિલક (મુનિશિરોમણિ) પ્રશસ્ત-અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો, શુદ્ધનય અને અશુદ્ધનયથી રહિત એવા અનઘ (-નિર્દોષ) ચૈતન્યમાત્ર ચિંતામણિને પ્રાપ્ત કરીને, અનંતચતુષ્ટયાત્મકપણા સાથે સર્વદા સ્થિત એવી જીવન્મુક્તિને પામે છે. ૯૪. ગાથા - ૬૯ ઉપરનું પ્રવચન કર્યું “આ, નિશ્ચયનયથી મનોગુમિની અને વચનગુપ્તિની સૂચના છે.” નિશ્ચયનયથી એટલે કે સાચી દષ્ટિથી. તો આ, સાચી દષ્ટિથી મનોગુમિની અને વચનગુમિની વ્યાખ્યા છે. જ્યારે પહેલાં (ગાથા ૬૬ ને ૬૭ માં) વ્યવહાર મનોગુપ્તિની અને વચનગુતિની વાત હતી. તે વ્યવહારગુમિ વિકલ્પરૂપ હતી, પણ સાચી ગુપ્તિ નહોતી. જુઓ, આ વ્યવહારચારિત્ર અધિકારમાં નિશ્ચયગુમિની વાત કરે છે અને તેમ કહીને નિશ્ચય વિના વ્યવહાર કેવો? – તે વાતને સિદ્ધ કરે છે. અશુભભાવથી છૂટવું અને શુભવિકલ્પમાં આવવું તે વ્યવહારગુમિ છે અને શુભવિકલ્પથી પણ છૂટીને સ્વરૂપમાં આવવું તે નિશ્ચયગુતિ છે. સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે અખંડ અદ્વૈત પરમચિતૂપમાં સમ્યપણે અવસ્થિત રહેવું તે જ નિશ્ચયમનોસુમિ છે.” પહેલાં વ્યવહાર મનોગુમિની વ્યાખ્યામાં
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy