SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૭]. [૧૯૫ શ્લોક - ૯૨ ઉપરનું પ્રવચન કર્યું આજે ભગવાન મહાવીરસ્વામીની દિવ્યધ્વનિ છૂટવાનો દિવસ છે. ભગવાન મહાવીર પરમાત્માને વૈશાખ સુદ દસમે ચાર જ્ઞાનનો નાશ થઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, પણ વાણી ન નીકળી. કેમ કે તીર્થકરની વાણી નીકળે અને ધર્મ પામનારા ન હોય એમ બને નહીં. જ્યારે તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું હતું – તેમને બંધાયું હતું – ત્યારે તેમના ભાવમાં એમ હતું કે હું પૂર્ણ થાઉં” અથવા “બધા જીવ ધર્મ પામે. તેથી તેમનીતીર્થકરની વાણી નીકળે ત્યારે ધર્મ પામનારા હોય છે. આવો વાણી અને શ્રોતાનો સંબંધ છે. તો, વૈશાખ સુદ દસમે ધર્મ પામનારામાં મુખ્ય જે ગણધર છે તે નહોતા એટલે વાણી ન નીકળી. (ખરેખર તો) વાણી નીકળવાનો કાળ જ નહોતો એટલે વાણી ન નીકળી. તેમાં આજે – સિદ્ધાંતની શ્રાવણ વદ એકમે – ઈંદ્ર ગૌતમ ગણધરને લાવ્યા અને ૬૬ દિવસે વાણી છૂટી. ગણધર આવ્યા માટે વાણી છૂટી એમ કહેવું તે નિમિત્તથી કથન છે. યથાર્થમાં તો વાણી નીકળવાનો તે વખતે કાળ હતો માટે વાણી છૂટી છે. સિદ્ધાંતશાસ્ત્ર “ધવલ'માં આવે છે કે ઈંદ્ર ગૌતમને પહેલાં કેમ ન લાવ્યા? તેના જવાબમાં ત્યાં કહ્યું છે કે ભાઈ! વાણી નીકળવાનો અને ગૌતમને સમજવાનો કાળ નહોતો— કાળલબ્ધિ નહોતીમાટે ઈદ્ર ગૌતમને પહેલાં ન લાવ્યા. આજે શ્રાવણ વદ એકમે ગૌતમ આવ્યા અને ભગવાનના મુખમાંથી દિવ્યધ્વનિ નીકળી. (૧) તે વાણીમાં આવેલ સિદ્ધાંતના અર્થના કરનારા ભગવાન મહાવીર છે, માટે ભગવાન મહાવીર તે દ્રવ્ય-વસ્તુ છે. (૨) રાજગૃહી નગરી પાસે પાંચ પર્વત છે તેમાં એક વિપુલાચલ પર્વત છે. તે પર્વત ઉપરથી ભગવાનની વાણી નીકળી, માટે વિપુલાચલ પર્વત તે ક્ષેત્ર છે. (૩) આજે - શ્રાવણ વદ એકમે – દિવ્યધ્વનિ નીકળી, માટે શ્રાવણ વદ એકમ તે કાળ છે. (૪) મહાવીર પ્રભુ છે તો કેવળજ્ઞાની, પણ તેમણે ભાવકૃતની પ્રરૂપણા કરી. કેમ કે ગણધર ભાવથુતને પામે છે તો તેને નિમિત્ત પણ ભાવથુત છે. માટે ભાવકૃત તે ભાવ છે. આ રીતે અર્થના કરનારા ભગવાન મહાવીર પરમાત્માએ વિપુલાચલ પર્વત ઉપરથી આજે શ્રાવણ વદ એકમે ભાવશ્રુતની પ્રરૂપણા કરી અને તે પછી દ્રવ્યકૃતની રચના કરનારા
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy