SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૬] [૧૭૯ ત્યાગની વાત લીધી નથી.) અહા! છે તો શુભ પરિણામ પણ આસવ. પરંતુ અહીંયા ટીકામાં વ્યવહાર મનોગુમિની વ્યાખ્યા છે તેથી અશુભ પરિણામના ત્યાગની વાત કરી, પણ ભાવપુણ્યાસવના ત્યાગની વાત ન કરી. જ્યારે ફૂટનોટમાં “અશુભ પરિણામરૂપ આસવ' એમ ટીકામાં કહ્યું તો તેની સાથે શુભ પરિણામરૂપ આસવ પણ છે એ સિદ્ધ કરવું છે. જુઓ, ટીકામાં પાઠ એવો છે કે “અશુભ પરિણામપ્રત્યયો' અર્થાત્ અશુભ પરિણામરૂપ આમ્રવ. તો, તેમાંથી ફૂટનોટમાં એ કાઢ્યું કે શુભ પરિણામરૂપ આસવ. આવી ભારે વાત છે! અહા! જ્યારે અશુભ પરિણામપ્રત્યયો છે તો તેનો અર્થ એ થયો કે શુભ પરિણામપ્રત્યયો પણ છે અને એવો શુભભાવ હજુ અહીં મનોગતિમાં છે. કેમ કે વ્યવહાર મનોગુમિની વાત છે ને! પ્રશ્ન:- અહીં શુભ-અશુભ—બન્ને ભાવના ત્યાગની વાત છે? સમાધાન:- ના, અહીં વ્યવહાર મનોગુમિમાં તો એક માત્ર) અશુભભાવના ત્યાગની વાત છે. બન્ને શુભ અને અશુભ પરિણામ જોકે સંસારના કારણ છે, છતાં પણ અહીં વ્યવહાર મનોગુમિની વાત કરવી છે ને? તેથી વ્યવહાર મનોગુમિમાં એકલા અશુભભાવના ત્યાગની વાત કરી છે. જ્યારે નિશ્ચય મનોગુમિમાં તો બન્ને શુભાશુભ ભાવનો ત્યાગ હોય છે. પણ તે વાત અત્યારે નથી. જુઓ ને? એક વ્યવહાર મનોગુમિની વાતમાં પણ કેટલી સ્પષ્ટતા કરી છે! અહા! ફૂટનોટમાં ખુલાસો કર્યો છે કે અશુભ પરિણામ પણ આસવ છે અને શુભ પરિણામ પણ આસવ છે. બીજી રીતે કહીએ તો, ફૂટનોટમાં એ સમજાવ્યું છે કે જ્યારે ટીકામાં અશુભ પરિણામપ્રત્યય કહ્યા તો તેનો અર્થ એ થયો કે શુભ પરિણામપ્રત્યય પણ છે. તે બન્ને શુભાશુભભાવ આસ્રવ છે અને સંસારના કારણ છે. જોકે અહીં ટીકામાં માત્ર અશુભ પરિણામના – એકના જ ત્યાગની વાત છે. નીચે ફૂટનોટમાં જે અર્થ કર્યો છે તે વાત એટલે કે બન્ને શુભ-અશુભભાવના ત્યાગની વાત ટીકામાં નથી. ટીકામાં ભાવપાપાસવના ત્યાગની જ – એટલી જ વાત છે. કેમ કે પુણ્યાસવનો વિકલ્પ તો મુનિને હોય છે. કારણ કે તેમને વ્યવહાર મનોગતિ છે ને? અહા! જેને નિશ્ચયનું (-આત્માનું) ભાન છે, જેને અંતર સ્વરૂપની વીતરાગતા છે એવા જીવને (-મુનિને) આવી વ્યવહાર મનોસુમિ હોય છે. પરંતુ અજ્ઞાનીને – એકલા
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy