SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૬૨] [૧૦૫ હોય એમ કહે છે. જોકે તે વચન તો જડ છે, (તેથી તે કાંઈ સમિતિ નથી.) પરંતુ મુનિરાજની પરિણતિના શુભભાવને અને શુદ્ધભાવને સમિતિ કહેવામાં આવે છે. કારણભૂત એટલે કે નિમિત્તભૂત. આધારના શ્લોક ઉપરનું પ્રવચન XARX ‘જેમણે બધું (વસ્તુસ્વરૂપ) જાણી લીધું છે,' જેણે પોતાની જ્ઞાનપર્યાયમાં આ બધું જાણી લીધું છે, જેના જ્ઞાનમાં આ રીતે બધું જાણવામાં આવી ગયું છે. અહા! એક જીવદ્રવ્યના ત્રણકાળના સમયથી પણ અનંતગુણા ગુણો છે એ ગજબ વાત છે ને! એનો અર્થ એ થયો કે (સંખ્યા અપેક્ષાએ) ત્રણકાળ ક્યાંય નાનો થઈ ગયો— ગુણના અનંતમા ભાગનો થઈ ગયો અને ગુણ મોટા થઈ ગયા. આવો એ પરમ સત્સ્વરૂપ પ્રભુ આત્મા છે. જુઓ ભાઈ! ‘સમયસાર’ની ચોથી ગાથામાં આવે છે ને? કે સુરિવિવાળુમૂવા... રાગ-વિકલ્પ કરવો અને તેને વેદવો-ભોગવવો એવી અજ્ઞાનની વાત-બંધકથા તો અનંત વાર અનંત-બધા-સર્વ-સમસ્ત-જીવોએ સાંભળી છે, તેમના પરિચયમાં આવી છે અને તેમને વેદવામાં પણ આવી છે. હવે, ‘બધા જીવોએ રાગ કરવો અને ભોગવવો એવી બંધકથા અનંત વાર સાંભળી છે' એવું ત્યાં પાઠમાં લખ્યું છે તેનો અર્થ એ થયો કે કેટલાક નિગોદના જીવોએ—કે જેઓ હજુ તો કોઈ દિ’ ત્રસ પણ થયા નથી તેમણે— પણ બંધકથા સાંભળી છે એમ ત્યાં કહ્યું છે. બીજી રીતે કહીએ તો, નિગોદના બધા જીવોમાંથી કોઈ જીવો તો ગયા અનંત કાળમાં હજુ ત્રસ પણ થયા નથી. છતાં ત્યાં ચોથી ગાથામાં પાઠ તો એવો લીધો છે કે રાગ કરવો અને ભોગવવો એવી અજ્ઞાનની વાત બધા જીવોએ અનંત વાર સાંભળી છે. એમ ત્યાં કહ્યું છે. - પરંતુ બધા એકેંદ્રિય જીવે ક્યાં એવી વાત સાંભળી છે? પણ તે એકેદ્રિયને રાગનું એકત્વરૂપ પરિણમન છે એ જ બંધકથાનું સાંભળવું છે, તેનો પરિચય છે અને તેનો અનુભવ છે. ઝીણી વાત છે. ભાઈ! ભગવાનનો મારગ બહુ ઝીણો છે.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy