SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૦ [નિયમસાર પ્રવચન છે. તેઓ એ પર્યાય જ કાળદ્રવ્ય છે એમ કહે છે. અહા! જીવ-અજીવની પર્યાય છે તેનો કાળ-સ્વકાળ છે ને? તો તે જ કાળ દ્રવ્ય છે, પણ તેનાથી જૂદું બીજું કોઈ કાળદ્રવ્ય નથી એમ શ્વેતાંબરમાં કહે છે. અહા! દ્રવ્યની દરેક પર્યાયનો જે સ્વકાળ છે તેને જ કાળદ્રવ્ય શ્વેતાંબરે માની લીધું છે. એવું છે ભાઈ ! વળી કોઈ એમ કહે છે કે-કાળ દ્રવ્ય હોય તો દ્રવ્ય પરિણમે, અને તે ન હોય તો દ્રવ્ય ન પરિણમે. પણ ભાઈ! નિમિત્ત કે દિ' નથી. છતાં અજ્ઞાની કહે છે કે-નહીં, નિમિત્ત આવે તો દ્રવ્ય પરિણમે, ને નિમિત્ત ન આવે તો દ્રવ્ય ન પરિણમે. પણ ભાઈ! શું નિમિત્ત ન હોય તો દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય રોકાઈ જાય ? ના; એમ તો બની શકે નહીં, કેમકે એનું તો ધારાવાહી પરિણમન હોય જ છે. પ્રશ્ન: ધર્માસ્તિકાય આગળ નથી માટે સિદ્ધ આગળ-ઉપર જતા નથી. તેવી રીતે કાળ ન હોય તો પરિણમન ન થાય. સમાધાનઃ અરેરે...! સિદ્ધને પણ પરતંત્ર માન્યા ! (ને વસ્તુને પણ ! ) પ્રશ્નઃ પણ તે સિવાય અનેકાન્ત ન થાય ને? અનેકાન્ત ત્યારે કહેવાય કે જ્યારે સિદ્ધ થંચિત્ સ્વતંત્ર, ને ક ંચિત્ પરતંત્ર હોય! સમાધાનઃ ભાઈ ! અહીં તો કહે છે-સિદ્ધ સર્વથા સ્વતંત્ર છે, ને પરતંત્ર જરીયે નથી. આનું નામ અનેકાન્ત છે. શું થાય ? અરેરે... ( અજ્ઞાનીને બધું વિપરીત જ ભાસે છે). –એ ૩૨મી ગાથા થઈ. Please inform us of any errors on [email protected]
SR No.008280
Book TitlePravachana Ratna Chintamani 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy