SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [નિયમસાર પ્રવચન ૧૧૪ લાંબો (–અનંતો ) કાળ છે ભાઈ! અહા! આવું જેના જ્ઞાનમાં પ્રતિભાસ્યું તે જ્ઞાન કેવડું મોટું? અહા! એક નાની બટાટાની કટકીમાં અનંતા જીવ, પ્રત્યેકના અનંત ભવ, અને વર્તમાન અનંત દુ:ખમાં પ્રત્યેક ડૂબેલો છે. અહા! આવું બધું જેના જ્ઞાનમાં-જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ્યું તે જ્ઞાનની દશા કેવડી મોટી ? અહા ! એવીએવી ( –કેવળજ્ઞાનની) અનંત-અનંત દશાઓ જેના ગર્ભમાં પડેલી છે એવો તું ભગવાન આત્મા છો પ્રભુ ! અહીં કહે છે– સંસારસમુદ્રના મહા વમળમાં...' અહા ! દરિયામાં વમળ થાય છે ને? તો, તેમાં જો વહાણ ફસાઈ જાય તો તે ચક્રાવે ચઢે છે. પછી વમળ છૂટે તો વહાણ છૂટે. તેમ ૮૪ના અવતાર એ સંસારસમુદ્રમાં મહા વમળ છે. અહાહા...! એમાં ફસાયેલો જીવ જુઓને! રાજા મરીને ભુંડ થાય, ભુંડ મરીને નારકી થાય, નારકી મરીને રાજા થાય, કીડી મરીને હાથી થાય અને હાથી મરીને નરકે જાય-એમ ચક્રાવે-ભવચક્રના ચક્રાવે ચઢે છે. અહા! આમ જે સંસારસમુદ્રના મહા વમળમાં નિમગ્ન છે એવા સમસ્ત ભવ્ય જીવોને, કહે છે, વીતરાગનાં, ૫૨માગમ હસ્તાવલંબન-હાથનો ટેકો-આપે છે. મહા વમળમાંથી છૂટવા ઉધમ તો પોતે (ભવ્ય જીવ) કરે છે, પણ તેને ટેકો આપનાર-નિમિત્ત પરમાગમ છે એમ કહે છે. લ્યો, આ આગમની વ્યાખ્યા છે, અર્થાત્ આવું ૫૨માગમ હોય છે. વળી, ‘જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ છે...’ અહાહા...! શું કીધું આ? કે પરમાગમ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણ અર્થાત્ ચૂડામણિ-ટોચ ઉ૫૨નું કલગીનું રત્ન છે. પહેલાં કહ્યું કે પરમાગમ મુક્તિને બતાવનાર છે (એ જ્ઞાનની વાત કરી ); હવે વૈરાગ્યની વાત કરે છે. કહે છે-૫૨માગમ વૈરાગ્યરસથી ઉત્કૃષ્ટ ભરપુર છે. તે બહારથી ઉદાસીન કરી ત્યાંથી પાછા વળવાની વાત કરે છે. અરે ભગવાન! તું કોણ છો કયા ગયો છો ? હવે રાગ-દ્વેષ ને પુણ્ય-પાપથી પાછો વળ, કેમકે એ તો દુ:ખનો દાવાનળ છે; એમાં તું બળી રહ્યો છો પ્રભુ! તો શું આ શ્રીમંતોય દુઃખી છે? અરે, એને તો ( તૃષ્ણાની ધગધગતી) હોળી સળગતી હોય છે; એને ધૂળેય સુખ નથી સાંભળને હવે. સુખ તો બહારથી પાછા વળવામાં છે. ક્યાં? નિજ ચૈતન્યમય આત્મામાં. લ્યો, આ પરમાગમનું તાત્પર્ય. સહજ વૈરાગ્યરસની ઉત્કૃષ્ટતા એ પરમાગમનું તાત્પર્ય છે. અહા! તું બધેથીસંયોગથી, રાગથી ને પર્યાયથી પાછો વળ, ને ત્યાંથી ખસીને અંદર આવ કે જ્યાં તારાં ભરપુર ચૈતન્યનિધાન પડયાં છે. આ રખડવામાં ક્યાં રહ્યો છો ?-આમ ભગવાનની વાણી પરથી વૈરાગ્યઉદાસીનતા જગાડે છે. અહા! વીતરાગની વાણી-૫૨માગમ-કોને કહીએ ? કે જે ચાર ગતિના (દુઃખના ) વેગમાં તણાઈ રહ્યા છે એવા જીવોને ત્યાંથી પાછા વાળે ને નિજાનંદસ્વરૂપમાં સ્થાપિત કરે-સ્થિર કરે એનું નામ ૫૨માગમ છે. ‘ સહજ વૈરાગ્યરૂપી...' એમ ‘સહજ’ શબ્દ છે ને? એટલે કે આ સ્મશાન વૈરાગ્ય હોય છે એ નહિ, પણ ઉદાસીનતારૂપ સ્વાભાવિક વૈરાગ્યની વાત છે. અહા ! ૨૦ વર્ષનો જુવાન–જોધ દીકરો મરી જાય ને ત્યારે જરા વૈરાગ્ય થઈ જાય છે એ સ્મશાન વૈરાગ્ય છે જ્યારે આ તો Please inform us of any errors on [email protected]
SR No.008280
Book TitlePravachana Ratna Chintamani 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy