SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૧૮ - ૨૭૯ હા! એ (તું તો) શાંતિનો સરોવર છે. ભગવાન (આત્મા) તો શાંતિ-અકષાયસ્વરૂપચારિત્રસ્વરૂપ (છે). જેમ જ્ઞાનસ્વરૂપ આત્મા, એમ એ ચારિત્ર-અકષાયસ્વરૂપ આત્મા (છે). એ (ચારિત્ર) તો શાંત... શાંત અકષાયસ્વભાવથી ભરેલી (એ) પૂર્ણ શાંતિ છે. એ શાંતિને પામવા માટે “મન-વચન-કાયાની વિકૃતિને સદા તજી” (દ)! ત્રણે માટે મનનો વિકલ્પ ઊઠે એ છોડ! “મન-વચન-કાયાની વિકૃતિ ” એ તરફનું વલણ, એ જ વિકૃતિ છે, એને સદા ત્યજી દઈને (એટલે કે) સદાય છોડી દઈને “ભવ્ય મુનિ ”—એ ભવ્ય મુનિ છે. એ મોક્ષ જવાને લાયક થઈ ગયો છે. જ્યાં પરમાનંદની પ્રાપ્તિ, અતીન્દ્રિય આનંદના ઢગલા ભર્યો છે, એ મુનિ ભવ્ય છે. ભવ્ય મુનિ “સમ્યજ્ઞાનના પંજમથી આ સહજ પરમ ગુણિને ” જોયું અહીંયાં તો ગુતિ” વિશેષણ લગાડયું-સમ્યજ્ઞાનના પંજમયી આ સહજ પરમ ગતિને. આહા... હા ! એ જ્ઞાનનો પુંજ પ્રભુ; પણ એમાં એકાગ્ર થયા એ પણ જ્ઞાનનો પુંજ છે, (એમ) કહે છે. જેવો જ્ઞાનનો પુંજ પ્રભુ છે, એવી જ પર્યાયમાં જ્ઞાનનો પુંજ જેણે–રાગથી રહિત પુંજ-પ્રગટ કર્યો છે. આહા... હા ! ભવ્ય મુનિ (એ) સમ્યજ્ઞાનના પંજમથી આ સહજ પરમ ગુમિ “પુંજયી છેજોયું! સમ્યજ્ઞાનનો પુંજ તો પ્રભુ છે; પણ એમાં લીન થયો એ સમ્યજ્ઞાનનો પુંજ છે, (એમ) કહે છે. એને એ શાંતિનો ઢગલો પ્રગટ થયો છે. રવા (ગોળની ચાકી) ને સૂર્ય (ના કિરણ) અડે અને પછી ગોળ ઝરે; એમ ભગવાન (આત્મા) આનંદનો રવો છે એમાં એકાગ્ર થાય છે ત્યારે (એમાંથી) અતીન્દ્રિય આનંદ ઝરે છે, એ પણ જ્ઞાનનો પુંજ છે, (એમ) કહે છે. જે જ્ઞાન, રાગમાં ખંડખંડ થતું (હતું); એ રાગથી ખસીને જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થયો, એ એકાગ્રતા પણ જ્ઞાનનો પુંજ છે. કહે છે કેઃ પર્યાયમાં જ્ઞાનનો પુંજ, એની રમતું આવી ! આહા... હા! સમજાણું કાંઈ ? આવી ભાષા !! આ બધું જુદી જાતનું (વિવેચન ) ! (“સમયસાર') આઠમી ગાથામાં કહ્યું છે ને..! કે: વ્યવહારથી ઉપદેશ દઈ શકાય છે. તો ત્યાં (કેટલાક લોકો એ શબ્દોને) પકડ્યા કે જુઓ-વ્યવહારથી પરમાર્થ સ્થાપે છે કે નહીં ? એ તે દી” અહીં કહ્યું હતું ને..! લીમડીવાળા વકીલ, ૧૯૯૭માં મંદિર થતું હતું ત્યારે આવ્યા હતા ત્યારે એ આ કાઢયું કે, જુઓ ! આમાં (“સમયસાર” માં) કહ્યું છે કે-વ્યવહારથી પરમાર્થને સમજાવાય છે! પણ સમજાવાય છે એ તો ભેદથી સમજાવે છે; પણ વ્યવહારથી નિશ્ચય થાય છે એમ ક્યાં આવ્યું? એની શ્રદ્ધા વેદાંતની હતી. જૈનની શ્રદ્ધા ! –જૈન કોઈ સંપ્રદાય નથી. “ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન.” રાગથી એકતા તોડીને, સ્વભાવમાં વીતરાગસ્વરૂપી ભગવાન આત્મામાં એકતા થવી તે જૈન છે. એ (જિનના આશ્રયે) જૈન થઈ ગયો. જિનરૂપી ભગવાનને આદર્યો ત્યાં જૈન થયો. રાગને આદરતો હતો ત્યાં સુધી અજૈન હતો. એક ભાઈએ લખ્યું છે કે અહીંયાં (સોનગઢમાં) બધા ભોળા છે, તેથી બધા હા પાડે ! અહીં રામજીભાઈ ભોળા હશે? બેન (બહેનશ્રી ચંપાબેન) જેવાના આત્મા ભોળા હશે એટલે હા પાડતા હશે એમ ? ભાઈ ! માર્ગ તો આવો છે, બાપુ! સત્ય અને સત્યવસ્તુને ઊભી રાખ. શ્રદ્ધામાં ફેરફાર ન કર. (નિશ્ચયચારિત્ર) પાળી ન શકે માટે એનાથી (વ્યવહારથી) થશે એમ ન કર. શ્રદ્ધામાં જો ફેર થયો તો મિથ્યાષ્ટિ છે, મૂઢ છે. એમાં સંસારનો મોટો ગર્ભ પડ્યો છે. મિથ્યાત્વમાં અનંત સંસારનો ગર્ભ પડ્યો છે. આહા. હા! અરે ! ક્યાં જશે? ક્યાંય ચોર્યાશીના અવતાર.. ક્યાંય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy