SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૮૮ - ૨૭૭ ૫૨મશાંતિલક્ષણથી લક્ષિત, ૫૨મ શાંતિના લક્ષણથી લક્ષિત (આત્માને ધ્યાવે છે.) આહા... હા ! (ગુતિનો ) શુભભાવનો ભાવ એ બાહ્ય પ્રપંચરૂપ અગૃતિ-અશાંતિ હતી, એ બાહ્ય વિકલ્પ હતો, એ અશાંતિ હતી. એને છોડીને નિર્વિકલ્પ-૫૨મસમાધિલક્ષણથી લક્ષિત “અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે. ” આહા... હા... હા! સમ્યગ્દષ્ટિ ( આત્માને ) તો ધ્યાવે છે. પણ આ તો મુનિ! અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે. આહા... હા! અંદર લીન થઈ ગયા છે. ભગવાનના આનંદધામમાં, આનંદભૂમિકામાં લીન થઈ ગયા છે. જેની નજરોમાં અભેદ થઈને અંદર લીન થયા છે. એને સાચું પ્રતિક્રમણ અને સાચું ચારિત્ર હોય છે. આવી વાત છે! પહેલાં જેવું છે એવું એનું-સ્વભાવનું જ્ઞાન તો કરે. પોતાની કલ્પનાથી માને કે આમ (મોક્ષ) થાશે, અને વ્યવહારથી આમ થાશે, (કોઈ ક્રિયાથી ) આમ થાશે. પણ (ખરેખર તો ) વ્યવહારનો અભાવ કરીને (મોક્ષ) થશે; વ્યવહારથી ન થાય. ગુપ્તિપણું એ તો બાહ્ય પ્રપંચ અગૃતિ છે. એનાથી અંતરમાં સ્થિરતા-૨મણતા-ગુપ્તભાવ થાય ? (−ન જ થાય ). આહા... હા! બહું આકરું કામ છે. આ બધી બાહ્યની કષાયઅગ્નિની જાતમાં લક્ષ જાય છે (તો ) એ એમ કહે છે કે, કષાયઅગ્નિ અશાંત છે તેને છોડીને સ્વરૂપમાં ઠરે છે તેને શાંતિનાં કમળો બધાં ખીલી જાય છે. આહા...હા! શાંતરૂપી સરોવર, વીતરાગરૂપી સરોવ૨, એમાં અનંતગુણોરૂપી કમળો, એમાં, રાગથી ભિન્ન પડીને ઠરે છે ત્યારે તે અનંત કમળો ખીલી જાય છે. ગુણનો વિકાસ, પર્યાયમાં થઈ જાય છે. તેને અહીંયાં ચારિત્ર ને પ્રતિક્રમણ નિશ્ચયથી કહેવાય છે. પ્રશ્નઃ એ ખરું પણ પહેલું એનું સાધન શું? સમાધાનઃ સાધન જ એ છે. પ્રજ્ઞાછીણી સાધન ન કહ્યું? રાગથી ભિન્ન પડીને અનુભવ (કરવો ) એ જ સાધન છે. બીજું સાધન (જ) નથી. ધ્યેયને પકડી અને નિર્વિકલ્પ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવા એ સાધન (છે). સાધ્ય એટલે મોક્ષ. એ મોક્ષરૂપી સાધ્યનું સાધન એ છે. આહા... હા ! ‘નિયમસાર' માં તો આગળ કહ્યું છે: હે મુનિ! તું કદાચિત્ (ચારિત્ર) પાળી ન શકે તોપણ શ્રદ્ધામાં ફેરફાર કરીશ નહીં કે, એનાથી (વ્યવહા૨થી) પણ (નિશ્ચય ) થાશે, એમ શ્રદ્ધા ન કરીશ. શ્રદ્ધા તો બરાબર રાખજે કે રાગથી રહિત થઈને સ્વરૂપમાં અનુભવ કરીને ઠરવું એ જ તારું સાધક (પણું) છે. શ્રદ્ધામાં કાંઈ ફરે પડયો તો મિથ્યાદષ્ટિ ને અજ્ઞાન છે. આહા... હા! પાંચમો આરો છે માટે એનું સાધન કંઈ હળવું જોઈએ ને...? હળવું કહો કે ઉગ્ર કહો કે હોય તે કહો તે આ છે. આહા... હા! પૂર્ણ ચૈતન્ય અનંતશક્તિના કમળથી ભરેલો પ્રભુ; એને વિકસાવવા માટે, ખીલવવા માટે, રાગથી ભિન્ન પડીને એકાગ્ર થવું એ જ એની ખીલવવાની કળા અને રીત છે. (એથી જ) “અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે.” અતિ અપૂર્વ (અર્થાત્ ) પૂર્વે નહીં ધ્યાન કરેલું-ધ્યાયેલું. એ અપૂર્વ ભગવાનઆત્માને તેં ધ્યાનમાં લઈને ધ્યાવ્યો નથી. એ રાગને લક્ષમાં લઈને રાગના આચરણમાં પડયો (છે) એ તો અનાત્માનું સાધન છે. (એ આત્મસાધક નથી ). ( અહીંયાં કહે છેઃ ) આવા અપૂર્વ આત્માને ધ્યાવે છે, “તે મુનિશ્વર ”-મુનિઓમાં ઈશ્વર: પ્રતિક્રમણમય ૫૨મસંયમી હોવાથી ”–તે પ્રતિ=બરાબર ખસી ગયો છે રાગથી, તેથી અંદરના અતીન્દ્રિય આનંદમાં ૨મી રહ્યો છે. જેમ બાગમાં ફૂલ ભર્યાં હોય અને (તેની ) સુગંધ લ્યે તેમ એ Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy