SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩ર – પ્રવચન નવનીત: ભાગ-૨ માર્ગ !! એ સિવાયનું બધું અનાચાર છે. આ આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ; એની આરાધના, એની અંતર એકાગ્રતા-સેવન, વીતરાગી ભાવનું સેવન એ સિવાયના જેટલા ક્રિયાકાંડના રાગ ઊઠે-થાય-પંચમહાવ્રતનાં પરિણામ, વ્યવહાર સમિતિ-ગુતિ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો પ્રેમ-રાગ-એ બધો અનાચાર છે! જિજ્ઞાસા: કરવાનું તો કાંઈ રહ્યું નહીં? સમાધાનઃ (આ) કરવાનું રહ્યું ને.. અંદરમાં જવાનું રહ્યું. “કરવાનું” એ કરવાનું છે! જ્યાં પરમાત્મા પોતે બિરાજે છે (ત્યાં જવાનું છે). પણ “આ આત્મા પરમાત્મસ્વરૂપ ને અતીન્દ્રિય આનંદ ને અનંત અનંત શાંતિના રસનો કંદ છે, એ વાત અને વિશ્વાસમાં બેસતી નથી. અનાદિથી અનંતવાર સાધુ થયો દિગંબર... હોં! પણ એની દષ્ટિ વર્તમાન પર્યાય અને રાગની ક્રિયા ઉપર બસ ! (પરંતુ) એ રાગથી ભિન્ન, મહા ભગવાન પરમાનંદનો દરિયો છે, અનંત ચતુષ્ટય- અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદ –થી ભરેલો ભગવાન, એ તત્ત્વ છે. અનંત એટલે એની કોઈ મર્યાદા નથી એવો એનો સ્વભાવ છે. એના સ્વભાવનું સેવન એ આરાધના. એ સિવાયના જેટલા વિકલ્પ-પંચમહાવ્રતના, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિના ઊઠે એ પણ અનાચાર છે. [ એવો યથાર્થ નિર્ણય પણ ક્યારેય કર્યો નહીં! ] છે, કે નહીં એમાં (ટકામાં)? જિજ્ઞાસાઃ સાતમા ગુણસ્થાનની અપેક્ષાએ અનાચાર અને છઠ્ઠી ગુણસ્થાનની અપેક્ષાએ સદાચાર? સમાધાનઃ વ્યવહારની અપેક્ષાએ સદાચાર અને નિશ્ચયની અપેક્ષાએ અનાચાર–એ તો બધું એક ને એક છે. વ્યવહારને સદાચાર એટલે અશુભથી છૂટીને શુભ આવ્યો એ અપેક્ષાએ વ્યવહાર. પણ પરમાર્થની દષ્ટિએ જુઓ તો એ સદાચાર પણ અનાચાર છે. આહી.. હા ! જગતને જૈનપણું સમજવું કઠણ અને એ વિના જન્મ-મરણના અંત આવે એવા નથી, પ્રભુ! એ કરોડપતિ-અબજોપતિ અહીં હોય, મરીને બીજી ક્ષણે ગાયની કૂખે, બકરીની કૂખે બચ્ચે થાય; ઓલા (તેઓ) માંસ ને દારૂ ખાતા ન હોય એટલે. એ ઢોલિયે સૂતો હોય, એ મરીને બકરીની કૂખમાં જાય. કેમકે એણે આત્મા શું ચીજ છે? એના સ્વરૂપ તરફ દષ્ટિ કરી નથી અને એનું માહાસ્ય આવ્યું નથી તેથી રાગનું માહાભ્ય ટળ્યું નથી. તેથી જે અનાચાર છે તેને આચાર માનીને સેવે છે એ મિથ્યાદષ્ટિ છે. આહા... હા! આવી વાત છે! છે...! “શુદ્ધ આત્માની આરાધના સિવાયનું (બધુંય અનાચાર છે).” આ તો સાદી ભાષા છે. (શ્રોતા ) ભાવ ઊંડા (છે). (ઉત્તર) ભાવ ઊંડા છે, વાત સાચી. તમે તો “ભગવાનદાસ” છો ને..! અંદર આત્મામાં ભગવાન છો ! “ભગ” અર્થાશ અનંત.. અનંત... અનંત જ્ઞાન-દર્શન-આનંદની લક્ષ્મી, ‘વાન' અર્થાત્ વાળોસ્વરૂપ=ભગવાન છે. એની સેવના (એટલે કે ) નિર્વિકલ્પ જ્ઞાન, દર્શન અને શાંતિથી નિર્વિકલ્પ આરાધના, રાગના અભાવની અપેક્ષા છોડીને, ( [ રાગનો) અભાવ કરવો’ એ પણ જ્યાં અપેક્ષા નથી હવે (બીજી અપેક્ષા શી?) ] અંદરમાં નિરપેક્ષસ્વરૂપની સ્થિરતાની સેવના, એ સિવાયનું બધુંય અનાચાર છે. આહા... હા. હા! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય છે તે ભાવ પણ અનાચાર છે. આવી વાત !! વીતરાગનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy