SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦ પ્રવચન નવનીતઃ ભાગ-૨ અને અંદર ગુણસ્થાનની દશાના ભેદો કે જ્ઞાન-દર્શન-સમકિત આદિ પર્યાયોના ભેદો જે વસ્તુમાં નથી તે પદાર્થનું એ રીતે જ્ઞાન અને સમ્યગ્દર્શન કરી, પછી ચારિત્ર માટે શું કરવું? એની વાત છે. એમ કહે છે કેઃ પંચમગતિની પ્રાપ્તિના હેતુભૂત “ એવો જીવનો અને કર્મપુદ્ગલનો ભેદઅભ્યાસ થતાં ” - ભગવાન આનંદમૂર્તિ પ્રભુ અંદર ચૈતન્યસામાન્ય એકરૂપ જેનો સ્વભાવ (છે ) એનો, અને રાગના ભાગનો એટલે કર્મના ભાગનો ભેદ-અભ્યાસ થતાં. આહા... હા! ( કહે છે કેઃ પોતાનો) અંતર આનંદસ્વરૂપ ભગવાન અતીન્દ્રિય આનંદનો અભેદસ્વભાવ (છે) –એવું જ્ઞાન થયા પછી પણ, જે રાગ બાકી રહ્યો છે, એટલે કે (રાગથી ) ભિન્ન પડયો પણ હજી અસ્થિરતા ટળી નથી, એ અસ્થિરતાને પણ ભેદ-અભ્યાસ દ્વારા ટાળીને અર્થાત્ અસ્થિરતાને પણ છોડીને, અંદર સ્થિરતાનો અભ્યાસ કરવો ! આહા... હા! વાત તો, શબ્દો તો ઘણા ટૂંકા ને સારા લાગે (પણ) ભાવ તો જે છે તે છે, બાપા! ચોર્યાશીના અવતાર (કરી કરીને) અનંતકાળથી આથડે છે. અનંતવા૨ મુનિ થયો. પંચમહાવ્રત અનંતવાર પાળ્યાં. હજારો રાણી છોડી જંગલે વસ્યા. પણ રાગથી અને ભેદથી ભિન્ન, એ આત્મા અભેદ છે, એવી દષ્ટિ કદી કરી નહીં. તો એ દષ્ટિ વિના, ચારિત્ર ને વ્રત-એ સાચાં હોઈ શકે નહીં. એટલે ( અહીંયાં ) કહે છે કેઃ કર્મ ( પુદ્દગલ ) નો અને જીવનો ભેદ-અભ્યાસ થતાં-કર્મ અર્થાત્ એ જડ એ (તો ) ઠીક; અને રાગાદિ કર્મ છે આ ભાવ બધા–દયા, દાન ને વ્રતના પણ જે વિકલ્પ ઊઠે છે એ રાગ છે; એનાથી આત્માનો ભેદ કરતાં, જુદો પાડતાં (એમ ) ભેદઅભ્યાસ થતાં, “તેમાં જ જે મુમુક્ષુઓ સર્વદા સંસ્થિત રહે છે.” આહા... હા! એ અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ; એમાં જ જે સમ પ્રકારે સ્થિત રહે છે, એને ચારિત્ર કહેવામાં આવે છે. ચારિત્રની વ્યાખ્યાય આવી (છે), બાપુ ! વીતરાગ સર્વજ્ઞ ૫રમાત્મા મહાવિદેહમાં બિરાજે છે. ઇંદ્રો અને ગણધરોની વચમાં . ભગવાનની ‘આ’ વાણી છે. ‘આ વાણી’ અહીં કુંદકુંદ આચાર્ય લાવ્યા હતા. (બીજું બધું તો ) કરી કરીને અનંતવાર મરી ગયો. માણસ મોટો અબજોપતિ હોય અને માંસાદિ ન ખાતો હોય, એ મરીને ગાયની કૂખે, ઢેડગરોળીની કૂખે તિર્યંચ થાય! કેમકે આત્મા શું ચીજ છે અને આત્માથી ભિન્ન શું છે? એનું જેને જ્ઞાન જ સાચું નથી એ મિથ્યાદષ્ટિ, ચાર ગતિમાં રખડવાનો અભિલાષી છે. આહા... હા ! સમજાણું કાંઈ ? “ સર્વદા સંસ્થિત રહે છે”... જોયું! આનંદસ્વરૂપ ભગવાન અભેદ ( આત્મા ) નું જ્ઞાન થયા પછી પણ રાગની અસ્થિરતા (જે રહે છે તેનાથી) ભેદ પાડતાં પાડતાં સ્વરૂપમાં સમ્યક્ રીતે સ્થિત થાય છે. “તેઓ તે (સતત ભેદાભ્યાસ) દ્વા૨ા ” -સતત ભેદ-અભ્યાસ દ્વારા, રાગથી ભિન્ન પાડી પાડીને સ્વરૂપમાં ઠરવાનો સતત અભ્યાસ છે (એ દ્વારા) “મધ્યસ્થ થાય છે ” એટલે કે વીતરાગતા થાય છે. એમ કહે છે. 66 66 ,, સતત ભેદાભ્યાસ દ્વારા એમ કહ્યું ને...? યથાર્થ જ્ઞાન થયું કે આત્મા અભેદ સ્વરૂપે છે. એનું સમ્યગ્દર્શન-જ્ઞાન થયું. તેમ છતાં રાગનો ભાગ (જે) બાકી રહ્યો તે રાગથી સતત ભિન્ન પાડવાના અભ્યાસ દ્વારા ‘મધ્યસ્થ થાય છે” એટલે કે રાગનો અભાવ કરીને વીતરાગતા પ્રગટ Please inform us of any errors on rajesh@AtmaDharma.com 66
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy