SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ - ૧૬૧ એની વાત પણ એણે રુચિથી સાંભળી નથી. એને બહારનો પ્રેમ-ઉત્સાહુ-મહિમા (વર્તે છે, તેથી) બાહ્યમાં અહોહો ! મોટી રથયાત્રા નીકળે... ગજરથ... નીકળે સાધુપણાની આમ વસ્ત્ર કાઢી નાખે ને નગ્નદીક્ષા ને. આમ ભેગા થાય ઘણા માણસો ને-એ બધો ભભકો લાગે! પણ અહીં તો કહે છે કે એ બધી ક્રિયા પરની છે, પ્રભુ! અને (એવો) અંદર જે વિકલ્પ ઊઠે છે તે રાગ છે. હું તે રાગનો કર્તા નથી, કારયિતા નથી અને અનુમોદક નથી. (હું તો) “(સહજ ) ચૈતન્ય (ના) વિલાસ (સ્વરૂપ) આત્માને જ ભાવું છું )” કે, જેમાં ચૈતન્યનો વિલાસ ભર્યો છે. (અહીં) ચૈતન્યની મુખ્યતાથી લીધું છે. પણ બધા ગુણ લેવા. “જ્ઞાન તે આત્મા” લે છે ને..! તો એ જ્ઞાનની સાથે બધા અનંતગુણ લેવા. સમજાણું કાંઈ ? હું દેવ૫ર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.” આહા હા ! એવી દલીલ આવે છે કે ભાઈ ! ત્યાં (“સમયસાર') આઠમી ગાથામાં “વ્યવહાર નિશ્ચયનો ઉપદેશક છે” એવું આવે છે ને...આઠમી ગાથાઃ “નડું નવિ સમggો. વ્યવહાર વડે નિશ્ચયનો ઉપદેશ છે. (શ્રોતા ) ઉપદેશ બીજી રીતે આપવો અશક્ય છે? (ઉત્તર) કઈ રીતે અપાય ? માટે ત્યાં (ટીકામાં) આવ્યું છે ને....! જેમ બ્રાહ્મણે “સ્વસ્તિ' કહ્યું. તો એ સાંભળી ( એનો અર્થ સ્વેચ્છ) સમજી શકે નહીં ત્યારે આમ ટગટગ જોયા કરે કે આ શું કહે છે! તો (બ્રાહ્મણે કહ્યું:) “સ્વસ્તિ ” નો અર્થ પ્રભુ! “તારું અવિનાશી કલ્યાણ થાઓ” એવો છે. આહા... હા ! એ જે વખતે કહ્યું તે જ વખતે તેની (પ્લેચ્છની) આંખમાંથી આનંદનાં આંસુ આવ્યાં. તેમ (વ્યવહાર અને પરમાર્થમાર્ગ પર સમ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથિ સમાન છે એવા શ્રીગુરુ જ્યારે વ્યવહારમાં આવ્યા હોય ત્યારે તેઓ ) બીજાને-શિષ્યને સમજાવે છે કે ભાઈ ! આ આત્મા છે!' ત્યારે ઓલો (શિષ્ય એનો અર્થ સમજે નહીં તો) ટગટગ જોયા કરે કે આ શું કહે છે! શું કહે છે! પણ સાંભળીને (ઉપેક્ષા કરે છે એમ નથી પરંતુ અપૂર્વ અંતરરુચિથી) જુએ છે કે, આ શું કહે છે? હું સમજી શકતો નથી. તો (શ્રીગુરુએ) એનો (“આત્મા’ શબ્દનો) અર્થ કર્યો કે પ્રભુ! અમે એને આત્મા કહીએ છીએ કે જે દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા! એ વ્યવહાર. આ ઉપદેશ. “દ્રવ્યસંગ્રહ” માં છેલ્લે છે. મૂળ શબ્દ છે: “મતતિ છતિ તિ માત્મા: ‘મતતિ' એટલે પોતાના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને (“નચ્છતિ' એટલે ) પ્રાપ્ત થાય તે આત્મા. એ પણ વ્યવહાર વડે ઉપદેશ આવ્યો. ભેદ પાડીને સમજાવે. નહીંતર સમજાવે કેવી રીતે? (આત્માનો અર્થ સાંભળ્યા) પછી તે ( શિષ્ય) સમજ્યો અંદરથી–અહો હો હો ! આ આત્મા !! (તો સમજતાંત) તરત જ એને આનંદનો ઊભરો આવે છે. એવી યોગ્યતાવાળો જ જીવ (શિષ્ય) લીધો છે. એકદમ અંદરથી પકડે છે. પાત્ર જીવ છે. અહોહો! આ આત્મા!! કે જે દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદરૂપે પરિણમે છે એ “અભેદ આત્મા !! આહા... હા! આ સાંભળીને અંદરથી આનંદની ધારા વહી. અતીન્દ્રિય આનંદ આવ્યો. બસ ! સાંભળ્યું ને તરત જ [ અત્યંત આનંદથી તેના હૃદયમાં સુંદર બોધતરંગો (જ્ઞાનતરંગો) ] ઊછળે છે! એવી જ ચારેય બાજુથી વસ્તુ લીધી છે. એવો શિષ્ય લીધો છે. પછી તો આચાર્ય કહ્યું કે અમે ભેદથી સમજાવીએ છીએ, પણ એનું (વ્યવહારનું) અનુસરણ અમારે કરવાનું નથી અને તારે પણ કરવાનું નથી. પ્રભુ! આત્મા એને કહીએ કે જે દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થાય. પુષ્ય, પાપ, દયા, દાન, વ્રતને પ્રાપ્ત થાય એ આત્મા નહીં. એ વાત તો કાઢી નાખી. ભેદ પાડીને કહેવામાં આવ્યું. પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy