SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી.” આહાહા ! આ શરીર છે તે મનુષ્યગતિ નથી; એ તો જડ-માટી છે. મનુષ્યગતિ તો અંદર જે ઉદયભાવ છે તેને મનુષ્યગતિ કહે છે. આ મનુષ્યગતિ એટલે આ શરીર નહીં, આ તો માટી જડ-ધૂળ છે. મનુષ્યગતિ તો આત્મામાં જે નામકર્મનો ઉદય હોય છે તે છે. તો એમ કહે છે કે એ પણ હું નથી. મનુષ્યગતિ એટલે જે આ મનુષ્યશરીર છે તે નહીં; મનુષ્યગતિ તો આત્માની પર્યાયમાં ઉદયભાવ છે અને (આ શરીર) એ તો જડની પર્યાય છે, પર છે; એમાં (-આત્મામાં) શું આવ્યું? “મનુષ્યનામકર્મને યોગ્ય” એમ લીધું ને...! “દ્રવ્યકર્મ અને ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી.” આહા.... હા! મારામાં શરીરની પર્યાય તો નથી, પણ મનુષ્યને યોગ્ય જે ઉદયભાવ છે તે પણ મારામાં નથી. આહા... હા! આ પરમાર્થપ્રતિક્રમણ ! મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી. હું એનો કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક (પણ) નથી અને એનું હું કારણ પણ નથી. –એમ દરેકમાં ચાર બોલ લેવા. ટીકાકાર દરેકમાં શબ્દ જુદા પાડે છે: “નારકઆયુના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષ હોય છે, પરંતુ મનેશુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને–તેઓ નથી.” બીજા બોલમાંઃ “(હું સદા તિર્યંચપર્યાયના) કર્તૃત્વવિહીન છું.” અહીં (ત્રીજા બોલમાં) કહ્યું કે: “(મારે મનુષ્યપર્યાય) શુદ્ધનિશ્ચયથી નથી.” જુદી જુદી રીતે દરેકમાં લાગુ પડે. પણ એક એકમાં જુદી વાત બતાવી છે અને (એ કૃત-કારિત આદિ ચારે ય બોલ) દરેકમાં લાગુ પડે, એમ બતાવ્યું છે. સમજાણું કાંઈ ? અરે પ્રભુ! આ તો વીતરાગનો માર્ગ બાપા! આ કાંઈ શાસ્ત્ર ભણી ગયો ને વાંચી ગયો, માટે ત્યાં, જ્ઞાન થઈ ગયું, એમ નથી બાપુ ! એ માર્ગ ઘણો જુદો છે, ભાઈ ! આહી.. હા ! અહીંયાં તો કહે છે: “મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી.” હવે, “દેવ'. “ “દેવ” એવા નામનો આધાર જે દેવ૫ર્યાય તેને યોગ્ય [ શરીર નિમિત્ત છે અને યોગ્યતા અંદરમાં છે.) સુરસ-સુગંધસ્વભાવવાળાં પુગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી.” [ પહેલાં કહ્યું હતું ને..! પંચમકાળના મુનિ તો દેવમાં જવાના છે. એને તો બીજી દશા (પર્યાય) હોય નહીં.) (અહીં) પંચમકાળના મુનિ કેવળજ્ઞાન પામતા નથી; દેવમાં જવાવાળા છે. શુભભાવ હોય છે ત્યારે તેમને દેવનું આયુ બંધાઈ જશે. મનુષ્યને પંચમ ગુણસ્થાન અને ચોથા ગુણસ્થાનમાં અશભાભ તો આવે છે. પણ જ્યારે અશુભ (ભાવ) હોય ત્યારે આયુષ્ય બંધાય નહીં, એટલે ત્યાં “દષ્ટિનું જોર' છે. -શું કહ્યું? કેઃ સમ્યગ્દષ્ટિને અશુભભાવ-આર્તધ્યાન-રૌદ્રધ્યાન-પણ હોય, પણ સમ્યગ્દર્શનનું જોર છે એના કારણે, અશુભભાવના કાળમાં, તેને ભવિષ્યનો ભવ ( અર્થાત્ અશુભઆયુષ્ય) બંધાતો નથી; એટલે કે જયારે શુભભાવ આવશે ત્યારે દેવનું આયુષ્ય બંધાશે. સમજાણું કાંઈ ? (સમ્યગ્દર્શન પામ્યાં પહેલાં જો) નારકીનું આયુષ્ય બંધાઈ ગયું હોય, શ્રેણિકની જેમ, તો એ (બીજી) વાત. એ તો પહેલાં બંધાઈ ગયું હતું. પણ સમ્યગ્દર્શન થયા પછી શુભભાવ (ના કાળમાં જ, અને તે પણ) દેવનું (જ) આયુષ્ય બંધાશે. (સમ્યગ્દષ્ટિને) અશુભભાવ આવે. વિષય-વાસના-ભોગ આદિ પાંચમા ગુણસ્થાન (માં પણ અમુક ભૂમિકા સુધી હોય છે ). અને અવિરતિ-ચોથા ગુણસ્થાને (તો) લડાઈ આદિ (પર્વતના અશુભભાવ પણ હોય) છતાં (તે કાળે તેને) ભવિષ્યનો ભવ બંધાતો નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ ઉપર એટલું જોર (વર્તે) છે. તેથી તેને જ્યારે શુભભાવ આવશે ત્યારે દેવનું (જ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy