SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૪૯: ૪૧ સીધી વાણી છે! ગણધર અને ઇન્દ્રોની વચ્ચે આ વાણી હતી. એ વાણી કુંદકુંદ આચાર્ય અહીં લાવ્યા. આહા.... હા ! જગતનાં ભાગ્ય ! “સમયસાર પ્રાભૃત” બનાવીને ભેટ આપ્યું. આહા... હા ! ભાઈ ! જયસેન આચાર્યની સંસ્કૃત ટીકામાં આવે છે ને..! આહા... હા... હા! ભેટ આપી. પ્રભુ! આત્મા તને ભેટ આપ્યો! આહા... હા.. હા! તારી ત્રિકાળી ચીજ, પ્રભુ! એ તને ભેટ આપીએ છીએ. એની દષ્ટિ કર! તો તને ભેટ મળી ગઈ ! આહા... હા... હા! “એ સમયસાર છે.” સમજાણું? એક બાજુ (સમયસાર) ત્રીજી ગાથામાં એમ કહે કે (દ્રવ્ય) પોતાના દ્રવ્યગુણ-પર્યાયને સ્પર્શે (-ચુંબે) છે. અને (“અલિંગગ્રહણ ”) ૨૦મા બોલમાં એમ કહે કે: દ્રવ્ય (વેદાતી પર્યાયનેમને) સ્પર્શતું નથી. અહીં એમ કહે કે: દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. એ કહીને એમ કહે છે કે: “વ્યક્ત” ને (અવ્યક્ત) સ્પર્શતો નથી. દ્રવ્યને તો દ્રવ્ય સ્પર્શે છે. પણ દ્રવ્ય પર્યાય (વ્યક્ત) ને સ્પર્શતું નથી. દ્રવ્ય (“અવ્યક્ત ') તો છે, તો તે પોતે પોતામાં છે. “અવ્યક્ત” છે. પહેલા બોલમાં કહ્યું હતું ને... “સતમ દ્રવ્ય ' થઈ જાય છે! ક્ષુલ્લક ધર્મદાસજી (રચિત) સ્વાત્માનુભવમનન” માં પણ આ એક બોલ નીકળ્યો. છ દ્રવ્યથી ભિન્ન, આત્મા સસમ (દ્રવ્ય) થઈ જાય છે. આહા.... હા... હા પોતાના આનંદસ્વરૂપના વેદનમાં, પરથી ભિન્ન થઈને, આત્મા એકલો રહે છે. એમાં પણ પછી બે પ્રકાર કહ્યા: આનંદની પર્યાયને, દ્રવ્ય સ્પર્શતું નથી. અને દ્રવ્યને (વેદનરૂપ પર્યાય ) સ્પર્શતી નથી. આહા... હા... હા ! સમજાય એટલું સમજવું! હમણાં તો રાત્રિ (તત્ત્વ-) ચર્ચા બંધ થઈ છે. ડોકટરે કહ્યું છે ને...? (પણ) અહીં તો કંઈ ખબરેય પડતી નથી કે કલાક બોલે કે પોણો કલાક બોલે! ડોકટર કહે કે હમણાં બંધ રાખો. (અહીં) શું કહે છે સમજમાં આવ્યું? “વ્યક્તતા” એને (અવ્યક્ત” ને) સ્પર્શતી નથી. ત્યારે એનો અર્થ (એ) થયો કે: દ્રવ્ય (અવ્યક્ત) ને, (અવ્યક્ત દ્રવ્ય) સ્પર્શે છે. એટલે “ અવ્યક્ત” છે. “એ” છે. એને “છે'. – “છે” એ સ્પર્શે છે”. ત્યાં (“અલિંગગ્રહણમાં) એમ કહ્યું કે અમારે તો દ્રવ્યસામાન્ય જે વસ્તુ છે, એનું તો અમને વેદન નથી. વેદન તો અમને અમારી પર્યાયમાં આનંદનું, જ્ઞાનની શાંતિનું (છે). અથવા જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, ચારિત્રનો આનંદ એવા અનંતગુણનો આનંદ છે, જે અપરિમિત-અક્ષય-અમેય છે. (તેનો છે.) અક્ષય-અમેય કીધું છે ને... “ચારિત્ર પાહુડ' માં. ચારિત્રદશાને અક્ષય-અમેય (કીધું ). દશાને... હોં! ગુણ અને દ્રવ્ય તો (અક્ષય-અમેય ) છે જ. આહા... હા. હા! અક્ષય-અમેય એવી (ધ્રુવ) ચીજ છે. ક્ષય ન પામે અને મર્યાદા રહિત એવી ચીજ, જે ભગવાન. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy