SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩ર : ૩૧૭ વાત છે! (બેનશ્રી) કહે છે કે “અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે.” શ્રીમદે કહ્યું ને... “અવશય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને; જાશું સ્વરૂપ સ્વદેશ રે.” કેટલાક એવા એના (શ્રીમદ્દના) ભક્તો કહે છે કે એ તો મહાવિદેહમાં ગયા (છે) – “એક દેહ' કહ્યો છે ને..? (પણ) સીધા મહાવિદેહમાં ગયા (છે), એ વાત ખોટી છે ! (કેમકે) સમ્યગ્દષ્ટિ હોય તો એમ થાય.) (પણ) સમ્યગ્દષ્ટિને રાગ બાકી રહે, તો તે વૈમાનિકમાં દેવ થાય, દેવી પણ થતાં નથી. આહા... હા ! (શ્રીમદ્દ ) કહે છે કે “અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને..” – એ દેહુ' કોણ? સાધકને જે દેહ છે તે. વચ્ચે (જે) દેવનો દેહ (થાય) તેની ગણતરી નથી. તો એનો અર્થ (સમજણ વિના) લોકો એમ કરે છે કેઃ (શ્રીમદ્ ) મહાવિદેહમાં કેવળજ્ઞાનમાં વિચરે છે. અહીં કહે છે કે એક દેહ ધારવો છે.' – કેવો? કે મનુષ્યપણાનો- સાધકનો- દેહ ધારીને “જાશું સ્વરૂપ સ્વદેશ રે.” - પોતાના સ્વરૂપ-સ્વદેશમાં (જાશું). એટલે કે અમે પૂર્ણતાને પ્રાપ્ત કરીશું, પછી સ્વદેશથી બહાર નીકળશું નહીં ! અહીં (બહેનશ્રી) એ કહે છે: “ તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપસ્વદેશ તરફ જઈ રહ્યાં છીએ.” - એ (સ્વરૂપ) તરફ ઝૂકી રહ્યાં છીએ. “અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં”- અમારું મૂળ વતન ભગવાન આત્મા (છે); રાગ એ મૂળ વતન નથી; ભગવાન નિત્યાનંદ પ્રભુ એ મૂળ વતન છે. (ત્યાં) અમારે ત્વરાથી-એકદમ પુરુષાર્થથી “ જઈને નિરાંતે વસવું છે જ્યાં બધાં અમારાં છે.” – આનંદ અને જ્ઞાન અમારાં છે ત્યાં જઈને વસવું છે ! અહીંયાં કહે છે કેઃ “જે ઔપશમિકાદિ ત્રણ ભાવો, તેઓ સમસ્ત રાગાદિથી રહિત” (છે.) અર્થાત એ ત્રણ ભાવમાં કિંચિત્ પણ રાગ નથી. અર્થાત આત્માની ભાવનામાં કિંચિત્ (માત્ર) રાગ નથી. અર્થાત્ આત્માની ભાવનારૂપી મોક્ષમાર્ગમાં કિંચિત રાગ નથી. રાગ એ મોક્ષમાર્ગ નથી. રાગ એ બંધનું કારણ છે. એ આત્માના મોક્ષમાર્ગમાં નથી. આહા.... હા! (તેમ છતાં,) અહીં (સંપ્રદાયમાં) તો રાગની ક્રિયા કરે, અને (એમ માને છે કે)' અમે ધર્મી છીએ“અમે ધર્મ કરીએ છીએ!' (પણ એવી માન્યતા) તો મિથ્યાત્વનું પોષણ કરે છે. અને (એમાં) અનંત સંસાર વધારતો જાય છે. પણ (લોકોને) એ (સત્યની) ખબર નથી, કે એ બાહ્ય ત્યાગ કરીને “અમે ત્યાગી છીએ. “અમે ત્યાગ કર્યો છે', (તો એમ માનવામાં) કોનો ત્યાગ છે? કેઃ (તે) “સ્વધર્મ” નો ત્યાગ છે. અહીંયાં કહે છે કે સમસ્ત રાગાદિથી (રહિત) એ (જે) ત્રણ ભાવ છે તે દ્રવ્યની ભાવના છે. અર્થાત્ જે વસ્તુની ભાવનારૂપ મોક્ષમાર્ગ છે તે ત્રણ ભાવરૂપ છે. તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy