SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪ : પ્રવચન નવનીત ભાગ-૧ (ત્યાં) કુદરતે એકદમ અગ્નિ પલટીને કમળ થઈ ગયું! આહા...હા ! એ તો બહારની ચીજની (એવી જ ) સ્થિતિ બનવાની હતી તો બની ગઈ. આહા...હા! આ એક આંગળી, બીજી આંગળીને સ્પર્શતી નથી. આ હાથ અહીં (ગાલ ઉપર) છે તે હાથ ગાલને સ્પર્શતો નથી. આ (હાથ) ગાલને અડયો પણ નથી. ૫૨નો સંગ જોઈને (અજ્ઞાની ) લોકોને ભ્રમ થઈ જાય છે. લોકોને ચીજની (વસ્તુસ્થિતિની ) ખબર નથી. સમજાય છે કાંઈ ? અહીં તો (એમ ) કહે છે કે: પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. અરે ! આ બધાએ કોઈ દી સાંભળ્યું પણ નહીં હોય. (બીજે) કયાંય આ વાત નથી. રાત્રે કોઈએ નહોતું પૂછ્યું? કોઈ ભાઈએ પ્રશ્ન કર્યો. પછી કહ્યું કે ‘વાત તો સાચી છે.' કહ્યું કે, ભગવાન! વાત તો સાચી છે, બાપા! તું ભગવાન છો. પ્રભુ! તારી ચીજ તો ભગવાન સ્વરૂપી છે. એ ભગવાનસ્વરૂપ, પર્યાયમાં મોક્ષના માર્ગની પર્યાયને સ્પર્શતો નથી. આહા...હા..હા ! ભેદવજ્ઞાનની પરાકાષ્ઠા! ભિન્ન પાડવાની પરાકાષ્ઠા! ભિન્ન પાડવાની પરાકાષ્ઠા ! ત્યાં ‘અલિંગગ્રહણ ’૨૦મા બોલમાં કહ્યું કે : પ્રભુ! અમે તો આનંદનું વેદન કરીએ છીએ. એમાં એ વેદનને) દ્રવ્ય સ્પર્શતું નથી, અડતું નથી. પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું (જે સામાન્ય ) દ્રવ્ય; એના આલિંગન વિનાની પર્યાય મારી છે. શું કહ્યું એ ? કે : પ્રત્યભિજ્ઞાનનું કારણ, જે ધ્રુવ ચીજ, જે કાલે હતી એ આજ છે, અને આજે છે તે કાલે રહેશે એવી ત્રિકાળી વસ્તુ, શાયકસ્વરૂપ ભગવાનઆત્મા, એની પોતાની પર્યાયમાં વેદન છે, તો એ ‘પર્યાયનું વેદન એ હું આત્મા છું.' મારી પર્યાયના વેદનમાં મારું દ્રવ્ય આવ્યું નથી, આવતું નથી. આહા..હા ! ધ્રુવનું વેદન કયાં ? ધ્રુવ તો એકરૂપ ત્રિકાળ. વજ્રના બિંબની જેમ આખું ચૈતન્યબિંબ વજની પેઠે પડયું છે. એ પર્યાયમાં કેવી રીતે આવે ? પર્યાય વિસદેશ છે (વિસદશ) પર્યાય, ( સદશ ) દ્રવ્યમાં કેવી રીતે આવે ? - - આહા...હા...હા ! આવી વાત છે, બાપુ! કોઈ એ તો વાત પહેલાં સાંભળી પણ નહીં હોય ! આવો વીતરાગનો માર્ગ, બાપા! એક ૫૨માણુ બીજા ૫૨માણુને સ્પર્શે નહીં. શ૨ી૨ની પર્યાય આત્માને સ્પર્શે નહીં. આત્મા ત્રણ કાળમાં કયારે ય શરીરને અડયો નથી. આત્મા શરીરમાં છે, એમ કહેવું એ વ્યવયહાર છે. આત્મા આત્મામાં છે, શરીરમાં નથી; શરીરને અડયો ય નથી, સ્પશર્યો ય નથી. આત્મા ત્રણ કાળમાં કયારે જડ-શરીરને સ્પશર્યો જ નથી. અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે : હું આમ ભોગવું છું ને આમ શરીરને ભોગવું છું. સમજાણું sies ? અહીં તો પરમાત્માએ કહ્યું, તે સંતો કહે છે. જગતને જાહેર કરે છે. સંતો તો ભગવાનના માલની આડત કરે છે, આડતિયા છે. પરમાત્મા ત્રિલોકનાથ પ્રભુ મહાવિદેહમાં આમ કહે છે. એ અમે તમને સંભળાવીએ છીએ. (ત્યાં) કુંદકુંદ આચાર્ય ગયા હતા. (વિદેહથી ) આવીને એમણે શાસ્ત્ર બનાવ્યાં. ૫રમાત્માનો તો આ સંદેશ છે. ટીકાકાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy