SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩૨): ૨૭૭ અરે રે! પ્રભુ! તું ચોર્યાશીના અવતારમાં રખડતો દુઃખી-દુઃખી છો. આ બધા પૈસાવાળા ને રાજા બધા દુ:ખી દુ:ખીના દાળીયા છે. એકલા દુઃખી બચારા છે. એને ભાન નથી. એટલે માને છે કે અમે કંઈક સુખી છીએ. રાગ અને અજ્ઞાનમાં રોળાઈ ગયા છે. એ દુઃખમાં છે. પણ દુઃખની એને ખબર નથી કે આ દુઃખ છે. આહા... હા ! આત્માના આનંદથી વિપરીત દશા એ દુઃખરૂપ છે. એ દુઃખરૂપની દશાને છેદવાનો ઉપાય-ત્રિકાળી ભગવાન શુદ્ધ સહજાન્મસ્વરૂપની (દષ્ટિ કરવી તે છે). (“સહજામસ્વરૂપ”) એ વાક્ય શ્રીમદનું છે. મંત્ર બીજાને આપે છે. ને. જ્યારે “ સહજાન્મસ્વરૂપ ”અથવા એક વાર તેમણે એમ કહ્યું “સર્વજ્ઞદેવ પરમગુરુ” મંત્રમાં કહ્યું “ સર્વજ્ઞદેવ પરમગુરુ” એ સર્વજ્ઞદેવ” આ’ સર્વજ્ઞ દિવ્ય શક્તિનો ભંડાર “ભગવાન (આત્મા).” એ પરમગુરુ' છે! બે હજાર વર્ષથી આફ્રિકામાં દિગંબર મંદિર નહોતું. પહેલું વહેલું પંદર લાખનું મંદિર નાઈરોબીમાં બન્યું છે! અરે! એ (આત્મા, એને) કરે ? એ તો પરમાણુની ક્રિયા બનવાની છે તે બને છે. એમાં બનાવવાવાળાનો ભાવ હોય, તો (તે) શુભભાવ છે. એટલી વાત છે. ભાવથી બનતું નથી. અને બને છે તો એનાથી ભાવ થયા એમ પણ નહીં આહા.. હા! આવી વાત !! અરે.. રે! ક્યારેય સત્ય વાત સાંભળી નથી. અરે.. રે! અનંત કાળથી નરક અને નિગોદનાં દુ:ખનો પાર નહીં! પ્રભુ તો એમ કહે છે કે, પહેલી નરકની સ્થિતિ દશહજાર (વર્ષ) ની; એનાએક અંતર્મુહૂર્તનું દુઃખ.. પ્રભુ! તને શું કહું? કરોડો જીભે અને કરોડો ભવે પણ કહી શકાય નહીં, એટલું દુઃખ છે; બાપુ! ત્યાં તું અનંત વાર ગયો છે. અને હજી (જો ) મિથ્યાત્વ રહેશે તો અનંતવાર જઈશ. (કહે છે કે ) આત્માના ગુણ કેટલા? કે અનંત મુખ કરે અને એક એક મુખે અનંત જીભ કરે, તોપણ કહી ન શકાય એટલા એ ગુણ છે! આહા.. હા ! ભગવાન આત્મામાં ગુણની સંખ્યા (એટલી છે કે, ) અનંતમુખ –મોઢાં બનાવે અને એક એક મોઢે અનંતી જીભ. આહા. હા! તોપણ ગુણની સંખ્યા કહી શકાય નહીં, પ્રભુ! એવડો મોટો પ્રભુ ! નાથ ! (તું છો. છતાં) તને તારી સૂઝ-બૂઝ પડે નહીં ! અને જેમાં (કંઈ ) માલ ન મળે, એની તને સૂઝ-બૂઝ ને પ્રવીણતા !! અહીંયાં કહે છે કે પ્રભુ જ્યારે પોતાના સ્વરૂપસન્મુખ થઈને પર્યાયરૂપે-સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર વીતરાગીપર્યાયપણે-પરિણમે છે, (તો) એ પરિણામને આગમભાષાથી પથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એવા ભાવત્રય કહેવાય છે. આગમભાષાએ ભાવત્રય, આહા... હા! પણ એ પરિણામે પરિણામ પરિણમે છે. અનંત આનંદની સન્મુખ થઈને (જ્યારે) પર્યાયપણે પરિણમે છે ત્યારે એ જે નિર્મળ (પરિણામ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy