SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮: પ્રવચન નવનીત ભાગ-૧ મોહના બે પ્રકાર છે એક દર્શનમોહ, બીજો ચારિત્રમોહ. પછી ચારિત્રમોહમાં બે પ્રકારઃ એક કષાય (વેદનીય) અને બીજો (નોકષાય) વેદનીય. –એ બધાંને “મોહ” કહીને કષાયોનો સમૂહ કહીને કષાયોનો સમૂહ કહીને, પુણ્ય અને પાપના બધાય ભાવને કષાયોનો સમૂહ “ભાવકભાવ” (કહ્યો છે.) કર્મ-મોહકર્મને કરાવવાળો એ “ભાવકભાવ” છે. (સમયસાર) ૧૩મી “મૂવલ્લેખમિરવા' વળી ગાથામાં એ કહ્યું છે ને..? ( નવેય તત્ત્વ) એ જીવનું કર્તવ્ય નહીં, અજીવ સાથમાં છે. ત્યાં આત્મામાં યોગ્યતા (પર્યાયની ) લીધી છે. પણ કરવાવાળાને કર્મ લીધું છે. “શાસ્ત્રાવ્ય શાસ્ત્રવસાસ્ત્રાવ્ય-આવવાવાળી પર્યાય; અને માઝ-એ કર્મ. કર્મનો ભાવ એ આસ્રવ છે. (આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર–એ બને આસ્રવ છે.) એ તો નીકળી જાય છે. એ એની (આત્માની) ચીજ જ નથી. આહા... હા! અહીંયાં તો “અવ્યક્ત' દ્રવ્યસ્વભાવનું વર્ણન છે ને...? અવ્યક્ત દ્રવ્યસ્વભાવમાં તો એ (ભાવ્યભાવકની) યોગ્યતા પણ નથી. આહા.... હા ! કષાયને “ભાવ્ય” અને કર્મ “ભાવક' - બેઉનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ અહીં નથી. આહા... હા! એનો એવો અર્થ કે, કર્મ વિકાર કરાવે છે. અહીં તો કર્મ અને કર્મ (-નિમિત્તે ) થતા વિકાર-એ બધાને “વ્યક્ત' કહીને, “પર” કહેવામાં આવ્યા છે અને એનાથી ભગવાન (આત્મા) ભિન્ન છે. આહા.... હા! સમજાણું કાંઈ ? આવી વાત છે, ભાઈ ! સાંભળવી ય મુશ્કેલ પડે. એ સમજવામાં ક્યારે આવે નાથ! તેથી તે (કેટલાક લોકો) એમ કહી બેસે... કે એ સોનગઢનો ધર્મ નિશ્ચયાભાસ છે, વ્યવહારને માનતા નથી. (પણ) અરે પ્રભુ! સાંભળ તો ખરો ! “વ્યવહાર નથી' એમ કોણ માને છે? ... છે” પણ એ “જ્ઞય” છે. વ્યવહાર છે તે કપાયભાવમાં આવે છે. આહા... હા! પહેલા બોલમાં તે (વ્યવહાર) જ્ઞયમાં આવ્યું. અને બીજા બોલમાં કષાયમાં આવ્યું. સમજાણું કાંઈ ? ભાષા તો સાદી-સીધી છે. (એક કોર) કપાયનો સમૂહ. એક કોર ભગવાન એકરૂપ આત્મા, અવ્યક્ત, એકરૂપ, ચિદાનંદ ભગવાન, ધ્રુવસ્વરૂપ પરમાત્મા–એને જાણ! એમ કહ્યું ને...? પર્યાય જાણે. જાણે કોને? કે-પૂર્ણાનંદના નાથને! આહા. હા! કષાયને જાણે, એ પણ વ્યવહારથી કહેવામાં મોહનીયના બે પ્રકાર છે: દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયના ત્રણ ભેદ છે: મિથ્યાત્વ, સમ્યુગ્મિથ્યાત્વ, સમ્યફપ્રકૃતિ. ચારિત્રમોહનીયના બે ભેદ છે: કષાય (વેદનીય) અને નોકષાય (વેદનીય ). કષાય (વેદનીય) ના ૧૬ ભેદ (-અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજવલનના ક્રોધ-માન-માયા-લોભની ચોકડી (૪૪૪=૧૬). નોકષાય (વેદનીય) ના ૯ ભેદ (-હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા (ગ્લાનિ), સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ.). Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy