SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮: પ્રવચન નવનીત ભાગ-૧ આહા.. હા! સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, ભગવાન! પણ તારા ઘરની વાત છે. નાથ! આહા.. હા! પ્રભુ! તું કોણ છો ? કોને આત્મા કહેવો? (તો) કહે છેઃ એ આત્મા પરમ પારિણામિક સ્વભાવભાવ છે; તેને આત્મા કહીએ છીએ. આવ્યું હતું ને...! ‘નિયમસાર ' ૩૮ ગાથામાં (કે:) ખરેખર આત્મા તો એને કહીએ. પર્યાયમાં ચાર જ્ઞાન આદિ છે, તોપણ (તે ) આત્મા નથી. તે ( આત્મા ) તો પર્યાય વિનાનો છે. અરે! કેવળજ્ઞાનની પર્યાય પણ વ્યવહારઆત્મા છે. ત્રિકાળી વસ્તુ, જે ભગવાન પૂર્ણાનંદનો નાથ-એ નિશ્ચયઆત્મા- ખરો આત્મા તે છે. આહા.. હા! આવી વાતો છે!! કેટલાકે તો જિંદગીમાં સાંભળી પણ ન હોય. અને કોણ જાણે.. આ તો નિશ્ચયની વાતો! અમારે તો વ્યવહાર જોઈએ બધો ! (પણ ) ‘ આ' વ્યવહા૨ છે ને! ( પણ ) વ્યવહાર કરીને તેની ર્હાબુદ્ધિ તે મિથ્યાત્વ છે. એ દયા, દાન અને વ્રતનાં પરિણામનાં ‘કર્તા થવું' એ પણ મિથ્યાદષ્ટિ છે. અને એ મિથ્યાત્વ તે જ સંસાર છે. બહારથી નગ્ન અને ત્યાગી થયો પણ અંદરમાં રાગની-પુણ્યની ક્રિયા, વ્યવહારની ક્રિયા, તપની–ઉપવાસની ક્રિયા ‘એ ધર્મ છે’ એવું માનવાવાળો, મિથ્યાદષ્ટિ છે. શુદ્ધ નયથી દશ પ્રાણ અને ભવ્યત્વ-અભવ્યત્વનો અંતરમાં-અંદર આત્મામાં અભાવ છે. અર્થાત્ સંસારીઓને અંતરાત્મામાં શુદ્ધ નયથી ( એ ત્રણેનો) અભાવ છે. પર્યાયમાં ભલે હો. આહા.. હા! સમજાણું કાંઈ ? શુદ્ધ નયથી સંસારીઓને- ‘શુદ્ધ નય’ થી એક વાત, અને સિદ્ધોને તો ‘સર્વથા’ જ વર્તમાનમાં દશ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વનો અભાવ અર્થાત્ સિદ્ધોને તો પર્યાયમાં પણ (એ) ત્રણેયનો અભાવ છે. અને સંસારી પ્રાણીને દ્રવ્યમાં-ત્રિકાળીમાં એ (ત્રણેનો ) અભાવ છે. સમજાણું કાંઈ ? આહા.. હા! આવો ઉપદેશ !! દિગંબર સંતોએ તો જગતને જગાડયું છે. . જાગ રે નાથ ! જાગ. ત્રણ લોકનો નાથ પરમાત્મા પ્રભુ તું છો! રાગની ક્રિયા અને નિમિત્તની ક્રિયામાં તું સૂઈ ગયો છે (ત્યાં) તારા પ્રાણનો નાશ થાય છે. પર્યાયમાં નાશ થાય છે.. હોં! દ્રવ્યનો તો નાશ ક્યારે ય થતો નથી. આ પર્યાયમાં ઘા વાગે છે. પ્રભુ! જેમ છરા વાગે એમ રાગની-દયા-દાનવ્રત-ભક્તિની ક્રિયા મારી છે (એવી માન્યતાથી) પ્રભુ! તારી પર્યાયમાં છરા વાગે છે, થા વાગે છે. સંસારી પ્રાણીઓને શુદ્ધ નયથી દશ પ્રાણ નથી અને ભવ્યત્વ-અભવ્યત્વ આદિ પણ નથી. સમજાણું કાંઈ ? ભાઈ! સમજવાની ચીજ ‘આ’ છે! ભાઈ-બાપા! બાકી તો હેરાન થઈ ગયો. પાંચ-છ કરોડ (રૂપિયા હોય તો) એમાં (આત્મામાં) શું આવ્યું? અરે! એ એમ માનશે કે ‘અમે શેઠ છીએ ’, ( પણ ) ‘ શેઠ કહેવાય' એમાં હૈઠ ઊતરી જશે. પ્રભુ તો કહે છે કેઃ આત્મા તો અંદર દશ પ્રાણ રહિત (છે). શુદ્ધ નયની દૃષ્ટિથી અર્થાત્ સમ્યગ્દર્શનની દષ્ટિના વિષયથી, એ દશ પ્રાણ-પાંચ ઇન્દ્રિયો-ભાવેન્દ્રિયો, મન, Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy