SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬: પ્રવચન નવનીત ભાગ-૧ છે. અને એ વ્યક્ત છે, એમાં એ (કપાય) આવી ગયો છે. પણ સામાન્ય પ્રાણી અને સ્પષ્ટ ન કરી શકે, તે કારણથી આ બીજો બોલ સ્પષ્ટ કરે છે: કષાયોનો સમૂહ' –પાછો એકલો “કષાય” ન લીધો, “કષાયોનો સમૂહ” (લીધો છે. તે ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે શુભભાવ ઉત્પન્ન થાય છે, એ અસંખ્ય પ્રકારના શુભ કષાય છે. અને કામ, ક્રોધ, હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગ, વિષયની વાસના આદિના જે પાપ ભાવ ઉત્પન્ન થાય છે, એ અસંખ્ય પ્રકારના અશુભ કષાય છે. -એ બધા મળીને “કષાયોનો સમૂહુ” છે. “કપાયો” એક વચન નહિ, બહુવચન છે. અને “સમૂહુ' તે ભલેને ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, રાગ હોય, દ્વેષ હોય, પ્રેમ હોય, અપ્રેમ હોય, વિષયવાસના હોય, કરુણા હોય, કોમળતા હોય-એ બધા કષાયોનો “સમૂહ” છે. કષાય” કેમ કહ્યું? “ક” એટલે સંસાર, અને “આય” એટલે લાભ. જેમાં (સંસારમાં) રખડવાનો લાભ મળે એને “કષાય' કહે છે. પાઠમાં “bષાય’ શબ્દ પડ્યો છે ને...? (કષ + આય = કષાય = સંસાર + લાભ.) જેમ “સામાયિક' કહે છે ને...? (સમ + આયિક = સામાયિક) વીતરાગમૂર્તિ આત્માનો અનુભવ થયો, સમ્યગ્દર્શન થયું - એમાં “સમ” અર્થાત્ સમતાનો-આનંદનો, અને “આયિક ' એટલે લાભ થયો. “સમતાનો લાભ' એને સામાયિક કહેવામાં આવે છે. આ દુનિયા કરે (છે, ) બેસે છે (એ, નહિ). એ તો અનંતવાર કર્યું. અમો રિહંતા.... નમો સિદ્ધાળું કરીને.... (આંખો) બંધ કરીને સામાયિક (માને !) પણ અહીં તો અવ્યક્ત શુદ્ધ ઉપાદેય આત્માનો અનુભવ થઈને, આનંદના સ્વાદમાં વીતરાગતા ઉગ્રપણે થાય, એનો લાભ થાય, એનું નામ “સામાયિક' કહેવામાં આવે છે. અહીં એ કહે છે કેઃ “કષાયોનો સમૂહ જે ભાવકભાવ” –કર્મ છે, તે “ભાવક' છે; અને એનો વિકારી કષાય-સમૂહુ તે ભાવકનો “ભાવ” છે; તે “આત્મા” નો નહિ. આહા... હા ! સાંભળો! ભલેને દયાનો, દાનનો, વ્રતનો, ભક્તિનો ભાવ થાય, પણ પ્રભુ એમ કહે છે કે એ તો ભાવકનો ભાવ છે, પ્રભુ! ભાવક' મોહકર્મ છે” – એ “સમયસાર” ગાથા-૩૨, ૩૩માં ભાવ્યભાવક' (લીધું) ત્યાં આવ્યું છે. (ભાવક જે મોહકર્મ તેના અનુસાર પ્રવૃતિથી પોતાનો આત્મા ભાવ્યરૂપ થાય છે એટલે કે, “ભાવક' મોહકર્મ, અને એને અનુસરીને થવાવાળા “ભાવ્ય' અથાત્ પોતાની (આત્માની) પર્યાય-વિકાર. અહા.. હા! ૩ર-૩૩ બેઉ ગાથામાં આવ્યું છે. અહીં તો આચાર્ય સમુચ્ચય, બહુ ટુંકામાં સંકેલી લે છે કે તારી પર્યાયમાં જે કંઈ પુણ્ય ને પાપના અસંખ્ય પ્રકારના ભાવ છે તે ભાવકનું ભાગ્ય અને ભાવકનો ભાવ છે. “ભાવ્ય” કારણ લેવામાં, એની યોગ્યતા ત્યાં ૩ર-૩૩ ગાથામાં લેવી હતી; અહીંયાં તો એ કાઢી નાખ્યું. આહા... હા ! કહ્યું છે? –૩૨-૩૩ ગાથામાં “ભાવ્યભાવક' કહ્યું Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy