SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬: પ્રવચન નવનીત ભાગ-૧ [ કળશ ઉપર પ્રવચન ] [સ્વરરૂત: વિશુદ્ધઃ] ભગવાન (આત્મા) તો નિજ રસથી વિશુદ્ધ છે. આહા... હા ! પોતાની શક્તિ, પોતાનો રસ, પોતાના સ્વભાવથી તો પવિત્ર પ્રભુ આત્મા છે. નિજરસથી વિશુદ્ધ છે. અને [૨ત-જિત-જ્યોતિર્મિ: રિત-મુવન-ગામા-ભવન:] એની સ્કુરાયમાન થતી એવી-શું કહે છે કે ભગવાન તો શુદ્ધ ચૈતન્યઘન વિશુદ્ધ છે, અને એમાં જે પર્યાયો પ્રગટ થાય છે (અર્થાત) સ્કુરાયમાન થાય છે, તે પવિત્ર થાય છે. આહા... હા ! જરી ઝીણી વાત! સ્વભાવ સર્વજ્ઞસ્વરૂપી છે. સર્વજ્ઞસ્વભાવનું રૂપ દરેક (ગુણ) માં છે. પાઠ તો એમ છે કે- “સર્વજ્ઞ” નામનો સ્વભાવ છે, તેથી એનું રૂપ પ્રત્યેક ગુણમાં છે. (આ વિષે) ઘણો વિચાર કર્યો હતો, પણ અમને (આ) બરાબર પકડાતું નથી. ભગવાનની વાણી છે એટલી વાત...! દરેકનો વિચાર ઘણો કર્યો છે, પણ (આ) અંદર પકડાતું નથી. (શ્રોતા ) આપને નથી પકડાણું? (ઉત્તર) નથી પકડાતું બાપુ! છે એમ કહીએ અહીં તો... બાપા! ઘણો સૂક્ષ્મ વિચાર કરીએ છીએ કે સર્વજ્ઞ છે. એમાં પ્રત્યેક ગુણનું રૂપ શું? “ચિવિલાસ' માં “રૂપ” કહ્યું છે. અસ્તિત્વગુણ ભિન્ન છે. જ્ઞાનગુણ છે” , તે અસ્તિત્વગુણને લઈને છે, એમ નથી. અસ્તિત્વગુણ ભિન્ન છે. કેમ કે “વ્યાશ્રયા નિણા :” – “તત્ત્વાર્થસૂત્ર' માં ઉમાસ્વામીનું સૂત્ર છેઃ ગુણને આશ્રયે ગુણ નથી. ગુણનો આશ્રય દ્રવ્ય છે. આહા... હા! અહીં તો કહે છે: ચૈતન્યજ્યોતિ પ્રગટ થાય છે, સ્કુરાયમાન થાય છે. એ જે ગુણ સર્વજ્ઞ આદિ સ્વભાવ છે, તે પર્યાયમાં પ્રગટ થાય છે. (એમાં) કોઈની અપેક્ષા નથી. (અને એ) કોઈના કારણથી નથી. “સ્કુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે”. પોતાના સ્વભાવની પર્યાય પ્રગટ થતાં (તે) આખા લોકાલોકને જાણી છે. વ્યાસ થઈ જાય છે” એનો અર્થ એ આખા લોકાલોકને જાણી લે છે. (સર્વજ્ઞ) કોઈ ચીજના કર્તા નથી, પણ કોઈ ચીજ જાણ્યા વિના રહે, એમ નથી. પોતાના સિવાય અન્ય ચીજના (તેઓ) કર્તા નથી; અને (સમસ્ત લોકાલોકની) અનંત ચીજને (-સર્વદ્રવ્ય-ગુણ-પર્યાયને-) જાણ્યા વિના રહેતા નથી. આહા... હા ! આવો સ્વભાવ છે, પ્રભુ ! બહુ આકરું કામ છે, ભાઈ ! અહીં તો આખો દિવસ નિવૃત્તિ છે. એ જ (તત્ત્વ-) વિચાર ને લઢણ ચાલ્યા કરે છે. ઘણી વખતે તો સૂમ વાત (અંદરમાં) હોય તોપણ અમને (સ્પષ્ટ) ખબર નથી પડતી. સમજાણું? સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વ, એ પોતાના ગુણ છે. જ્ઞાનગુણ (અ) અસ્તિત્વગુણ ભિન્ન છે. (છતાં) અસ્તિત્વગુણનું “રૂપ' જ્ઞાનગુણમાં છે. એનો અર્થ શું? કે જ્ઞાન છે' એ પોતાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy