SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૭૩ પ્રકારની ભાવશક્તિ! એક ભાવશક્તિ અનંત ગુણમાં પડી (વિધમાન ) છે; તો દરેક ગુણની પર્યાય, જે સમયે થવાવાળી છે, તે થશે. થશે ને થશે જ. એ ‘હું કરું' તો થશે, એમ નથી. અને એક ભાવશક્તિ-વિકારનું પરિણમન ષટ્કારકરૂપે થાય છે, એનાથી રહિત પરિણમન, એ ભાવશક્તિનું ફળ છે. વિશેષ કહેશે..... *** [પ્રવચનઃ તા. ૨૬-૭-૭૯ ] સમયસાર ૩૦૮ થી ૩૧૧. ‘ ક્રમબદ્ધ' ની વ્યાખ્યા આવી ને...! એ ‘ક્રમબદ્ધ' માં પ૨ના કાર્ય-કારણનો અભાવ થાય છે. વિશેષ સ્પષ્ટીકરણ આવે છે એનું કારણ આ કે: “ જીવ પોતાનાં પરિણામોથી ઊપજે છે”. એ ‘ ક્રમબદ્ધ' માંથી કાઢયું. જ્યારે જીવ પોતાનાં પરિણામોથી ઊપજે છે, તો ‘ ક્રમબદ્ધ’ માં એનો નિશ્ચય (થતાં, દષ્ટિ) જ્ઞાયક ઉપર જાય છે. એ વાત અહીં છે કેઃ જ્ઞાયક ઉપર દષ્ટિ થઈ, તો એ જીવનાં પરિણામ, પોતાનાં પરિણામોની સાથે તાદાત્મ્ય છે. એવી રીતે જીવ પોતાનાં પરિણામોથી ઊપજે છે. અહીં નિર્મળ (પરિણામ ) ની વાત છે હોં! પોતાનાં પરિણામોથી તે જીવ ઊપજે છે. જીવ દ્રવ્ય તો છે જ. પણ ( તે ) પરિણામોથી ઊપજે છે. (અહીં કહ્યું કે આમ જીવ પોતાનાં પરિણામોથી ઊપજતો હોવા છતાં... ” ) ( અહીં ) “ છતાં ” કેમ કહ્યું ? કેઃ પોતાનાં પરિણામોથી તો ઊપજે છે, એટલું તો કાર્ય કરે છે ને? પોતાનાં પરિણામોથી તો ઊપજે છે ને, નથી ઊપજતો, એમ તો નથી; તો એમ કેઃ પોતાનાં પરિણામોથી ઊપજે છે, તો પરનાં પણ પરિણામ કરે ! જો ( પોતાનાં પરિણામથી ) ઊપજતો ન હોય, (અર્થાત્ ) (જો પોતાનું) કાર્ય કરતો ન હોય, તો તો ૫૨નું કાર્ય ન કરે! પણ (પોતાનું) કાર્ય તો કરે છે, (અર્થાત્ ) જીવ પોતાનાં નિર્મળ પરિણામનું કાર્ય તો કરે છે; “ છતાં ” પરનું કાર્ય કરતો નથી-એમ લેવું છે. ગંભીર શબ્દ છે કેઃ પોતાનાં નિર્મળ પરિણામોથી ઊપજતો હોવા ‘છતાં ’, તેને અજીવની સાથે કાર્ય-કારણ ભાવ સિદ્ધ થતો નથી. ‘હું શુદ્ધ ચૈતન્યવન, જ્ઞાન-આનંદકંદ પ્રભુ!' એનાં આનંદ અને શાંતિનાં પરિણામ, એ પરિણામ તો એનાં છે. અહીં ધર્મ પામેલાની વાત ચાલે છે. અથવા ક્રમબદ્ધનો નિર્ણય જેને થયો, એની વાત ચાલે છે. જગતમાં દરેક પદાર્થમાં પોતાનાં પરિણામની અવસ્થાથી વ્યવસ્થિત વ્યવસ્થા થાય છે. બીજાં પરિણામ એને કરે, તો એમાં વ્યવસ્થા-પર્યાય થાય, એમ નથી. પ્રશ્નઃ આ બધા વ્યવસ્થાપક-આ પ્રમુખ છે, વયવસ્થાપક છે ને ? સમાધાનઃ નહીં. કોનો વ્યવસ્થાપક? ભાઈ ! જે દ્રવ્ય પોતાનાં પરિણામથી ક્રમમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy