SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૮–૩૧૧: ૧૬૫ એનાથી વિપરીત માનવું, એ વિપરીત દષ્ટિ છે. [ પ્રશ્નમાં એમ સ્પષ્ટ કરાવવું છે કેઃ] નિશ્ચયથી એમ; પણ વ્યવહારથી તો થાય છે ને? (નશ્ચયથી) (તો) નહીંપણ વ્યવહારથી તો કરી શકીએ ને? (-એમ નથી). અહીં તો કહે છે. શ્રીમદ્ રાજચંદ્ર તો એક વાર કહ્યું કે: “એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ, પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વરેચ્છા હશે તે થશે”. -પત્રાંક: ૪૦૮.) એક તરણું-તણખલાના બે ટુકડા કરવા, એ આત્માની શક્તિ નથી. ટુકડાની પર્યાય ક્રમબદ્ધમાં થવાવાળી છે, તો થાય છે. જિજ્ઞાસા: પુરુષાર્થ તો કરે ને? સમાધાનઃ પુરુષાર્થ તો અજ્ઞાનનો કરે છે! (ભલે) માનેઃ “હું ખેડ કરું છું ને બળદ હુલાવું છું ને...! ' એ બધાં અભિમાન-મિથ્યાત્વ છે. અહીં એ કહે છે. એવી રીતે-જીવની પેઠે, જીવની જેમ-અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી... આહા.... હા ! પરિણામો કેમ કહ્યાં? –દરેક પરમાણુમાં અનંત ગુણ છે, તો એક સમયમાં અનંતી પર્યાયો ઉત્પન્ન થાય છે. એક પરમાણુમાં એક સમયમાં અનંતી પર્યાય (ઊપજે છે). કેમકેઃ ગુણ અનંત છે ને..! તો એની અનંતી પર્યાય ક્રમબદ્ધમાં-ક્રમસરમાં જે આવવાવાળી છે, તે આવે છે. આહા.... હા ! આવું કામ ! આ શહેર મારું. ગામ મારું. અમે (ત્યાં) રહેવાવાળા....! તો એ (શહેર-ગામ) તો બીજી ચીજ છે, અને રહેવાવાળો બીજી ચીજ છે. ભાઈ ! તું તો આત્મામાં રહેવાવાળો છો. રાગમાં પણ રહેવાવાળો નથી. તો પછી શહેર (–ગામ) માં રહેવાવાળો (ક્યાંથી થયો?) આહા... હા ! ઘણો ફેર છે. અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઉત્પન્ન થાય છે. આહા... હા ! પાણી અગ્નિના નિમિત્તથી ઊનું થાય છે. તો કહે છે કે પાણીમાં ઉષ્ણ થવાના ક્રમથી તે ઉષ્ણ થવાની પર્યાય થવાનો કાળ હતો તો, ઉષ્ણ થયું; અગ્નિથી નહીં. સમજાણું કાંઈ? આ તો દષ્ટાંત છે. સિદ્ધાંત તો એક જ છે કે પ્રત્યેક અજીવ પદાર્થ, પોતાના સ્વકાળે-કમસરમાં આવવાવાળા પરિણામથી પરિણમે છે. પણ ખરેખર પરમાણુ-અજીવમાં પણ જે પરિણામ થાય છે, તે પકારકથી પરિણમન થાય છે. એ પરમાણુનાં પરિણામ પણ (પોતે પોતાથી થાય છે). “પંચાસ્તિકાય” ગાથા-૬રમાં એમ પાઠ છે. જીવ અને કર્મ-બેયને પોતાથી પરિણામ થાય છે. એ ચર્ચા ઈશરીમાં થઈ હતી કે ‘વિકાર પોતાથી થાય છે, પરથી નહીં'. અહીં તો હુજી નિર્મળ પર્યાયની વાત ચાલે છે. નિર્મળ પર્યાય પણ પોતાથી કમસર થવાવાળી છે, ત્યારે થાય છે. એનો અર્થ કે ધર્મની-નિર્મળ પર્યાયને આશ્રય લેવો છે દ્રવ્યનોવ્યવહારે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy