SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૮–૩૧૧: ૧૩૩ માટે (પુરુષાર્થ કરી) છૂટશે. આહા... હા... હા! કઠણ પડે જગતને. (પણ) ભાઈ ! અંતરની ચીજ (આ) છે. પ્રામની પ્રાપ્તિ છે. “છે” તેમાંથી લેવાનું છે. નથી' માંથી તો લેવાનું નથી. અંદર પ્રાસ પડયું છે. આહા... હા.... હા ! (અહીંયાં કહે છેઃ) “જીવ જ છે” જીવનાં પરિણામ જીવ જ છે. (તથા “સમયસાર') ૩૨૦-ગાથામાં કહેશે કેઃ મોક્ષ અને મોક્ષના માર્ગને “જીવ' કરતો નથી. એ તો “પરિણામ' કરે છે. આ ગાથા પછી ગાથા-૩ર૦ લેવાની છે. ૩ર૦ (–ગાથા) માં આવો પાઠ છેઃ ઉદય અને નિર્જરા, બંધ અને મોક્ષ-એને આત્મા જાણે છે. આત્મા મોક્ષને કરતો નથી. નિર્જરાને જાણે છે, ઉદયને જાણે છે, બંધને જાણે છે અને મોક્ષને પણ જાણે છે. “કરે છે' એવું ત્યાં નથી લીધું. ત્યાં તો (એમ લીધું કે જેને) અંદર દ્રવ્યની દૃષ્ટિ નિર્મળ-પૂર્ણ થઈ તો એને પર્યાયનો પણ આશ્રય નથી. (દષ્ટિને) પર્યાયનો આશ્રય અને અવલંબન નહીં અને પર્યાયને દ્રવ્યનું પણ અવલંબન નહીં. આ વિષય “પ્રવચનસાર” ગાથા-૧૭૨, અલિંગગ્રહણ-૨૦મા બોલમાં તો એમ લીધું છે કે: આ આત્મા-પોતાનું દ્રવ્ય-પ્રત્યભિજ્ઞાનનું કારણ એવો જે આત્મા; આ છે... આ છે... આ છે, એ પ્રત્યભિજ્ઞાનનું કારણ (જે) આત્મા-પોતાનું દ્રવ્ય. (એવા) પોતાના દ્રવ્યને નહીં સ્પર્શતી એવી શુદ્ધ પર્યાય (તે આત્મા) છે; વેદનમાં આવી, એ (“પર્યાય ') હું છું. આહા... હા.... હા! અહીં કહે છે કેઃ એ “દ્રવ્ય' છે, એ હું છું. એ (ક્યાં) કઈ અપેક્ષાએ લીધું છે, (તે સમજવું પડશે). આ તો વિશાળ માર્ગ વીતરાગનો!! સ્યાદ્વાદ માર્ગ છે! પણ સ્યાદ્વાદનો અર્થ એવો નથી કે નિશ્ચયથી પણ થાય છે અને વ્યવહારથી પણ થાય છે; ઉપાદાનથી પણ થાય છે અને નિમિત્તથી પણ થાય છે; –એ સ્યાદ્વાદ નથી; એ તો ફૂદડીવાદ છે. સમજાણું કાંઈ ? અહીં કહે છે: જીવ પોતાનાં પરિણામોથી ઊપજતો થકો જીવ, જીવ જ છે. આહા... હા.. હા! અભેદ લઈ લીધું. જેમાંથી જે પરિણામ આવ્યું તે પરિણામ એનું (દ્રવ્યનું) છે. (તે પરિણામ) જીવનાં જ છે; અજીવનાં નથી. –આ અનેકાંત. જીવથી છે અને અજીવથી પણ છે, એ અનેકાંત નથી; એ તો મિથ્યા એકાંત-ફૂદડીવાદ છે. સમજાણું કાંઈ ? પોતાનાં પરિણામ પોતાથી ઊપજે છે, એ જીવ જ છે; અજીવ નથી. એ (પરિણામ) કર્મથી ઊપજ્યાં નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન ઊપજયું એ કર્મના ક્ષયોપશમથી ઊપસ્યું નથી. આહા... હા! “એ (પરિણામ) અજીવ નથી” –ઝીણી વાત છે, ભાઈ ! “જે સમયે જે થવાનું હશે તે થશે. તો ત્યાં (કોઈ) એમ કહે: “અમે પુરુષાર્થ શું કરીએ?' – “ભગવાને દીઠું (હશે ) તેમ થશે તો ભગવાન સર્વજ્ઞ પરમાત્મા જગતમાં છે, એ સત્તાનો સ્વીકાર છે અંદર? “સત્તાનો સ્વીકાર છે'... તો દષ્ટિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy