SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બોધવચન ક્રમાંક ૧૦૮-૧૧૭: ૯૯ ફેરવ્ય, વગર સાંભળ્ય-પ્રગટ થઈ જાય છે. “કલશ' માં એમ કહ્યું ને..! બાર અંગ (નું જ્ઞાન) કાંઈ અપૂર્વ નથી. પણ બાર અંગમાં તો ‘આ’ અનુભૂતિ કરવાનું કહ્યું છે. - “આ ગ્રાહક'. પણ તું કોણ? પ્રભુ! તારી વાત-અંદરમાં તત્ત્વ જેને કહીએ, જેને આત્મતત્ત્વ કહીએ, એ વાત-તને બેસતી નથી!! તે એક સમયની પર્યાયની રમતુંમાં કાળ ગાળ્યો. તેથી જે આખો રમણ કરનારો ભગવાન ત્રિકાળી, ત્રણ લોકનો નાથ; એ એમ ને એમ કોરો રહી ગયો–એ તારી નજરમાં તને ન આવ્યો ! હવે એનો ગ્રાહક થા ! આવી વાતું છે, ભાઈ ! પ્રશ્નઃ શું કરવું આમાં? સૂઝ પડતી નથી. સમાધાન: પણ (સ્વદ્રવ્યનું ગ્રાહક થવું) આ’ કરવું નથી? આહા હા ! સ્વદ્રવ્યના ગ્રાહક ઉતાવળથી થાઓ. આ અસ્તિથી વાત કરી. હવે પહેલી જે કીધી હતી ને...! “સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ”. એને હવે બીજી રીતે કહે છેઃ (બોલ સાતમો) “સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો (દો)”. પહેલું એ કહ્યું હતું “ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. હવે અહીં કહે છે કે સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો. પરદ્રવ્યને રાખવા ઉપરનું લક્ષ છોડી દે. પરદ્રવ્ય એટલે રાગ આદિ. પરને (શરીરાદિને) તો કોણ રાખતું હતું? “રક્ષકતા” જોયું! રક્ષક ને ધારક ને ગ્રાહક ને... “ક” ત્યાં હતો તે રક્ષકતા- રાખવાપણું અર્થાત્ સ્વદ્રવ્યનું રાખવાપણું, એમ આવ્યું હવે. સ્વદ્રવ્યની રક્ષકતા-સ્વદ્રવ્યના રક્ષકપણા ઉપર લક્ષ આપો. “સ્વદ્રવ્યની જેમ રક્ષા થાય તે ઉપર ધ્યાન રાખો. “પરની રક્ષા થાય એ દષ્ટિમાંથી છોડી દો. કરવાનું તો ‘આ’ છે. વિશેષ કહેશે.... *** (પ્રવચનઃ તા. ૨૯-૧-૧૯૭૮) સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો.” પહેલું એના ખ્યાલમાં-જ્ઞાનમાં આવવું જોઈએ ને...! (ક) “સ્વદ્રવ્ય' એટલે શું ? કેઃ પર્યાય અને રાગથી પણ ભિન્ન, પરિપૂર્ણ અનંતગુણનો સમુદાય-પિંડ છે જે ત્રિકાળ એકરૂપ છે. ધ્રુવ છે અને અહીં “સ્વદ્રવ્ય ” કહેવામાં આવ્યું છે. એ સ્વદ્રવ્યની રક્ષકતા-રક્ષકપણું રાખવાપણું અર્થાત્ સ્વદ્રવ્યનું રાખવાપણું (એના) ઉપર લક્ષ રાખો. પરદ્રવ્યનું રાખવાપણું તો (જીવ) રાખી શકે નહીં એ (નાસ્તિ) પછી કહેશે. અત્યારે પહેલાં અસ્તિથી વાત કરે છે. સ્વદ્રવ્યની રક્ષતા ઉપર (લક્ષ રાખો). પરની રક્ષકતા ઉપર તો લક્ષ અનંતવાર કર્યું. પરનું લક્ષ રાખીને પરની દયા પાળવાનું આદિ, (તેમ જ ) પર ઉપર લક્ષ રાખીને, શાસ્ત્ર ભણતર પણ અનંત વાર કર્યું. પણ જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy