SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૫ દેહુ ચર્મમય વૃક્ષથી જો તપ-ધર્મ ન થાય; જરા-ઉધઇથી વિણસતાં નરક-પતન દુ:ખદાય. ૧૩૩ મનુષ્ય શરીરરૂપી ચર્મમય વૃક્ષને પામીને જો ધર્મ પણ ન કર્યો અને તપ પણ ન કર્યું તો તે શરીર વૃદ્ધાવસ્થારૂપ ઉધઈ વડે ખવાઈ જતાં તું મરણ પામી નરકાલયમાં જઈ પડીશ. ગૃહસ્થ ધર્મ અને મુનિધર્મના ભેદથી ધર્મ બે પ્રકારે છે. બાહ્ય અને અભ્યતર ભેદથી ઇચ્છાઓના નિરોધરૂપ તપ બાર પ્રકારે છે. અભેદ રત્નત્રયરૂપ શુદ્ધ સહજ્જાત્મસ્વરૂપ પરમ ભક્તિથી ઉપાદેય છે એવી શ્રદ્ધાપૂર્વક ગૃહસ્થ ભેદ રત્નત્રયરૂપ ગૃહસ્થ ધર્મની આરાધના કરવી જોઈએ અને મુનિએ તો નિશ્ચય રત્નત્રયની સ્થિરતા અર્થે વ્યાવહારિક રત્નત્રયના બળથી વિશિષ્ટ પ્રકારનું તપશ્ચરણ કરવું જોઈએ. પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં સ્થિર થઈ આત્મભાવનારૂપ ધર્મનું જો પાલન કરવામાં ન આવ્યું તો પ્રાપ્ત થયેલો અમૂલ્ય મનુષ્ય-ભવ નિષ્ફળ ગયો ગણાય. માટે આ દેહથી તો ધર્મની આરાધના જ કરવાયોગ્ય છે. ૧૩૩ હે જીવ, જિનેશ્વર ભગવાનની ભક્તિ કર. अरि जिय जिण-पइ भत्ति करि सुहि सज्जणु अवहेरि। तिं बप्पेण वि कज्जु णवि जो पाडइ संसारि।।१३४ ।। अरे जीव जिनपदे भक्तिं कुरु सुखं स्वजनं अपहर। तेन पित्रापि कार्यं नैव यः पातयति संसारे।। १३४ ।। કર જીવ ભક્તિ જિનપદે, ત્યાગ સ્વજન સમુદાય; તે પિતાનું કામ ? જે પાડે ભવમાંય. ૧૩૪ હે ભવ્ય જીવ, જિનપદ અર્થાત્ શુદ્ધ સહજામસ્વરૂપ એવા જિનેશ્વરનાં ચરણકમળની તું ભક્તિ કર. સંસાર-સુખનાં કારણરૂપ એવાં પોતાનાં પરિજનોને પણ ત્યાગી દે તો પછી બીજાની તો તારે જરૂર જ શી છે? તે પિતાનું પણ કંઈ કામ નથી કે જીવને સંસારસમુદ્રમાં પાડી દે છે. હે આત્મા, અનાદિ કાળથી દુર્લભ એવો સર્વજ્ઞ પ્રણીત રાગ-દ્વેષ મોહરહિત જીવ પરિણામ લક્ષણવાળો શુદ્ધોપયોગરૂપ નિશ્ચયધર્મ અને શુભોપયોગરૂપ વ્યવહારધર્મ છે. તેમાં છે આવશ્યક રૂપ યતિ-ધર્મ અને દાન પૂજાદિ લક્ષણવાળો ગૃહસ્થ ધર્મ, તે શુભ ઉપયોગમય છે. તે ધર્મમાં તું પ્રીતિ કર. આ ધર્મઆરાધનમાં વિનરૂપ એવાં પોતાનાં કુટુંબીજન હોય તો પણ તેને છોડી દે અને જેઓ ધર્મમાર્ગમાં સહાયક હોય તેને સ્વીકાર કર. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy