SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૩૦ જીવ પાપથી નરક, તિર્યંયગતિમાં જાય છે. ધર્મ એટલે પુણ્યથી દેવલોક પામે છે, પુણ્ય-પાપના મેળથી મનુષ્ય થાય છે તથા તે બન્નેના ક્ષયથી મોક્ષ મળે છે. ૬૩ वंदणु णिंदणु पडिकमणु पुण्णहँ कारणु करइ करावइ अणुमणइ एक्कु वि णाणि ण वन्दनं निन्दनं प्रतिक्रमणं पुण्यस्य कारणं येन। करोति कारयति अनुमन्यते एकमपि ज्ञानी न तेन ।। ६४ । । વન્દન નિન્દન પ્રતિક્રમણ, પુણ્યહેતુ ગણી એમ; કરે કરાવે જ્ઞાની ના, અનુમોદે નહિ તેમ. ૬૪ जेण । तेण ।। ६४ ।। વંદના, સ્વાત્મનિંદા અને પ્રતિક્રમણાદિ પુણ્યનાં કારણ છે પણ મોક્ષનાં કારણ નથી, તેથી નિર્વિકલ્પ શુદ્ધોપયોગરૂપ અવસ્થામાં રહેલા જ્ઞાનીઓ આ ત્રણમાંથી એકેને પણ કરતા નથી, કરાવતા નથી અને કર્તાને અનુમોદતા પણ નથી. શુદ્ધ નિર્વિકલ્પ પરમાત્મતત્ત્વની ભાવનાના બળથી ભૂતકાળમાં થયેલા રાગાદિ દોષોનું નિરાકરણ કરવું તે નિશ્ચય પ્રતિક્રમણ છે. વીતરાગ ચિદાનંદ શુદ્ધાત્માની અનુભૂતિની ભાવનાના બળથી ભવિષ્યમાં થના૨ ભોગોની વાંછારૂપ રાગાદિનો ત્યાગ કરવો તે નિશ્ચય પ્રત્યાખ્યાન છે, અને નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિના બળથી વર્તમાનમાં ઉદયમાં આવેલાં શુભ-અશુભનાં કારણ એવાં હર્ષ-વિષયાદિ અશુદ્ધ પરિણામોને આત્માથી ભિન્ન કરવાં તે નિશ્ચય આલોચના છે. આ પ્રમાણે શુદ્ધોપયોગરૂપ નિશ્ચય પ્રતિક્રમણાદિમાં સ્થિર થઈ શુભોપયોગમય વ્યવહાર પ્રતિક્રમણાદિમાં જે પ્રવર્તતા નથી તે જ્ઞાની છે. સારાંશ કે જ્ઞાની આત્મા પ્રથમ અશુભોપયોગનો ત્યાગ કરી શુભમાં આવે છે ત્યાર પછી શુદ્ધમાં લીન થાય છે. શુદ્ધમાં લીનતા થવાથી શુભોપયોગ એની મેળે છૂટી જાય છે. છોડવાની આવશ્યકતા હોતી નથી. ૬૪ वंदणु जिंदणु पडिकमणु णाणिहिं एहु ण जुत्तु । एक्कु जि मेल्लिवि णाणमउ सुद्धउ भाउ पवित्तु ।। ६५ ।। वन्दनं निन्दनं प्रतिऋमणं ज्ञानिनां इदं न युक्तम् । एकमेव मुक्त्वा ज्ञानमयं शुद्धं भावं पवित्रम् ।। ६५ ।। વન્દન નિન્દન પ્રતિક્રમણ, જ્ઞાનીને નહિ યોગ્ય; શુદ્ધ જ્ઞાનમય ભાવ એક શુચિ વિણ સર્વ અયોગ્ય. ૬૫ એક પવિત્ર શુદ્ધ જ્ઞાનમય ભાવ મૂકીને જ્ઞાનીઓને વંદન, નિંદન અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy