SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પરમાગમસાર ૬૦] ભાવશ્રુતજ્ઞાનમાં આવી ગયો છે. ૨૧૧. દષ્ટિનું પરિણમન સ્વભાવમાં થયું તે થયું, પછી એને સંભારવું છે ક્યાં? એ તો સચિનું પરિણમન થયું તે થયું તે સદાય રહ્યા જ કરે છે, નિઃશંક છું એમ સંભારવું પડતું નથી ને શુભાશુભમાં હોય કે આત્માના અનુભવમાં હોય તોપણ સમ્યફનું પરિણમન તો જે છે તે જ છે. ૨૧ર. | વિકારની તુચ્છતા ભાસે તો વીર્ય ત્યાંથી ખસે, અને સ્વભાવની મહિમા ભાસે તો વીર્ય ત્યાં ઢળે. ૨૧૩. અભિપ્રાય એ તો જીવનું જીવન થઈ જાય છે, ઘર થઈ જાય છે. અભિપ્રાય બદલવો એ એને જીવન બદલવા જેવું લાગે છે. ૨૧૪. જૈન એટલે અંતરમાં સમાય તે જૈન છે. બહારના જેટલા ઉભરા આવે એ તો બધા પ્રકૃતિના ચાળા છે. વિકલ્પ ઊઠે ઈ પણ બધા પ્રકૃતિના ચાળા છે. ૨૧૫. * જેણે બહારમાં કયાંક રાગમાં, સંયોગમાં, ક્ષેત્રમાં એમ ક્યાંક ને કયાંક કોઈ દ્રવ્યમાં, ક્ષેત્રમાં, કાળમાં, આ ઠીક છે એમ માનીને ત્યાં વિસામામાં કાળ ગાળ્યો તેણે પોતાના આત્માને ઠગી લીધો છે. ર૧૬. સ્વના લક્ષનો માર્ગ અલૌકિક છે. આ તો વીતરાગનો માર્ગ છે. વીતરાગ કહે છે કે તું મારી સામું ન જો. આમ વીતરાગ સિવાય બીજો કોણ કહી શકે ? ૨૧૭. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008276
Book TitleParmagam sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy