SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૫૬ ] [ પરમાગમસાર પ્રશ્નઃ- સમ્યગ્દર્શનનું માહાત્મ્ય ઘણું ઘણું કરવામાં આવે છે તેનું શું કારણ ? ઉત્તરઃ- સમ્યગ્દર્શનમાં પૂર્ણ પરમાત્મા પ્રતીતિમાં આવી ગયા છે. એના માહાત્મ્યનું શું કહેવું! પૂર્ણ પ્રભુ પ્રતીતિમાં આવી ગયા છે પછી બાકી શું રહ્યું ? ૧૮૯. * સિંહ ચારેકોર ફરતાં હોય ને જેમ ઊંઘ ન આવે, હથિયાર બંધ પોલીસ પોતાને મારવા ફરતો હોય ને જેમ ઊંઘ ન આવે તેમ તત્ત્વ નિર્ણય ન કરે ત્યાં સુધી એને સુખેથી ઊંઘ ન આવે. ૧૯૦. * બહારની વિપદા એ ખરેખર વિપદા નથી. બહારની સંપદા એ સંપદા નથી. ચૈતન્યનું વિસ્મરણ તે જ મોટી વિપદા છે, ચૈતન્યનું સ્મરણ ખરેખર સાચી સંપદા છે. ૧૯૧. * સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય, આદર કરવા જાય, વિશ્વાસ કરવા જાય, પ્રશંસા કરવા જાય, રુચિ કરવા જાય ત્યાં જ પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય થઈ જાય છે. એ જ પુરુષાર્થ આવ્યો ( એ જ પુરુષાર્થનું સ્વરૂપ છે.) ૧૯૨. * આત્માનો વિકલ્પ સહિત સાધારણ મહિમા આવે તે મહિમા ન કહેવાય. અંદરથી રુચે તો વીર્ય ઉછળે, એ કયાં ઉછળે છે? સાધારણ ધારણા અને માહાત્મ્ય તો અનંતી વાર આવ્યા. પણ ખરેખર માહાત્મ્ય અંદરથી આવવું જોઈએ. બાકી એ જ રહી ગયું છે ને! પહેલાં માહાત્મ્ય આવે છે અને પછી માહાત્મ્યની ઉગ્રતા થતાં એકાગ્રતા થાય છે. ૧૯૩. * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008276
Book TitleParmagam sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy