SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates (૨૪૯ પરમાગમ ચિંતામણિ ) * પાપકર્મકે ઉદયસે મનુષ્ય બંધુ- બાંધવાંકે મધ્યમેં રહતે હુએ ભી દુ:ખ ભોગતા હૈ ઔર પુણ્યકર્મકે ઉદયસે શત્રુકે ઘરમેં રહકર ભી સુખ ભોગતા હૈ. જબ પુરુષકા ભાગ્યોદય હોતા હૈ તો વજ્રપાત ભી ફૂલ બન જાતા હૈ ઔર ભાગ્યકે અભાવમેં ફૂલ ભી વજ્રસે કઠોર હો જાતા હૈં. ૧૩૧૩. - (શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૩૫૨-૩૫૩) * “મને જ્ઞાનવંતને એ વિષયાશારૂપ શત્રુ કાંઇ પણ કરી શકે એમ નથી.” એ પ્રકારના જ્ઞાનમદથી ઉન્મત્ત થઇ એ આશારૂપ શત્રુથી જરા પણ ઉપેક્ષિત રહેવું યોગ્ય નથી. ત્રણલોક જેણે વશ કરી રાખ્યો છે એવા એ આશારૂપ શત્રુને અલ્પ ગણવો યોગ્ય નથી. ત્રણ જગતનો મહાભયંકર અને અદ્વિતીય વેરી એ જ છે. તેને તો સ્મયક્ પ્રકારે વિચારી વિચારીને મૂળથી સર્વથા ક્ષીણ કરવો જોઇએ. જુઓ અનંત અને અગાધ સમુદ્રમાં રહેલો વડવાગ્નિ મહાન સમુદ્રને પણ બાધા ઉપજાવે છે અર્થાત્ શોષણ કરે છે, તેમ નાની સરખી વિષાયાશા આત્માના અગાધ જ્ઞાનસમુદ્રને મલિન કરે છે, આવરણ કરે છે. તેનાથી તો નિરંતર સાવચેત રહેવું જોઇએ. વળી જગતમાં પણ જોવામાં આવે છે કે શત્રુએ જેને દબાવી રાખ્યો છે, તેને શાંતિ ક્યાંથી હોય? ૧૩૧૪. (શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૩૦) *** * હે નાથ ! એકીનજરે જોઈ રહેવા યોગ્ય આપનું સ્વરૂપ એકવાર જોયા પછી માણસના નેત્ર બીજે કોઇ ઠેકાણે સંતોષ પામતા નથી કેમ કે ચંદ્રના કિરણ જેવું ઉજ્જવળ ક્ષીરસાગરનું દૂધ જેવું જળ પીધા પછી સમુદ્રના ખારા પાણીને પીવાને કોણ ઇચ્છે છે? કોઇ જ નહિ. ૧૩૧૫. (શ્રી માનતુંગ આચાર્ય, ભક્તામરસ્તોત્ર, શ્લોક-૧૧ ) * જેમ રાજાનો ઘાત થવાથી પ્રભાવ રહિત સેના સ્વયં નષ્ટ થઈ જાય છે, તેમ મોહરાજાનો નાશ થવાથી સમસ્ત ઘાતિકર્મોનો નાશ થઇ જાય છે. ૧૩૧૬. * પાપકો બાંધનેવાલે ભોગોંસે કૌન વહુ દેવ હો યા ઇન્દ્ર હો યા ચક્રવર્તી હો યા (શ્રી દેવસેન આચાર્ય, તત્ત્વસાર, ગાથા-૬૫ ) ઐસા હૈ જિસકો તૃપ્તિ હો સકતી હો, ચાહે રાજા હો. ૧૩૧૭. (શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૩૧૦) Please inform us of any errors on [email protected]
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy