SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દશાનું, લંકાના ઉપવનમાં અને દેશનિકલ કર્યા પછી વનમાં છે દવાયેલ તથા અગ્નિકુંડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછીની સીતાનું વર્ણન તો અલોકિક ચમત્કારપૂર્ણ છે. તેને વાંચતાં એક્વાર આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગે છે અને જ્યારે આપણે લક્ષ્મણ દિવંગત થયા પછ ચમની દશા જોઈએ છએ, તેમના અકૃત્રિમ અને લોકેત્તર ભાતૃપ્રેમ વિષે વાંચીએ છીએ તો તે સમયનું વર્ણન કરવું આપણા માટે અસંભવ બની જાય છે. સંક્ષેપમાં વામાં આવે તો આ પદ્મપુરાણમાં આપણને બધા રસોનો સમાવેશ યથાસ્થાને થયેલો જણાશે પરંતુ તેમાં મુખ્યતા કરુણ અને શાન્ત રસની જ છે. મૂળગ્રંથનું પ્રમાણ લગભગ ૧૮OOO શ્લોક છે અને તે શ્રી મણિચન્દ્ર દિ. જૈનગ્રંથમાળા મુંબઈથી ત્રણ ભાગમાં છપાઈ ગયો છે. સ્વાધ્યાય પ્રેમીઓને મારો આગ્રહ છે કે તેઓ એકવાર મૂળગ્રંથની સ્વાધ્યાય અવશ્ય કરે. રામનું વ્યક્તિત્વ જોકે પદ્મચરિત અથવા પદ્મપુરાણનું નામ લેવાથી આમાં મુખ્યપણે શ્રીરામનું ચરિત્ર કહેવાયું છે પણ તેમની જીવનસહુચરી હોવાને લીધે આખાય રામચરિત્રમાં સીતા બધે વ્યાપ્ત છે. સીતાના પિતાને મદદ કરવાને લીધે જ રામ સૌ પ્રથમ સિંહપુત્ર અથવા વીરબાળરૂપે લોકો સમક્ષ આવ્યા. સીતાના સ્વયંવર દ્વારા રામના પરાક્રમનો યશ બધે ફ્લાયો, રાવણ પર વિજય મેળવવાને લીધે તે જગતપ્રસિદ્ધ મહાપુરુષના રૂપે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી લોકનિંદાના કારણે સીતાનો પરિત્યાગ કરવાથી તો તેઓ એટલા બધા પ્રકાશમાં આવ્યા કે આજ હજારો વર્ષો પછી પણ લોકો રામરાજ્યને યાદ કરે છે. જ્યારે લોકાપવાદની ચર્ચા રામની સમક્ષ આવી ત્યારે તેઓ વિચારે છે કેअपश्यन् क्षणमात्रं यां भवामि विरहाकुलः। अनुरक्तां त्यजाम्येतां दयितामधुना कथम् ।। चक्षुर्मानसयोर्वासं कृत्या याडवस्थिता मम। गुणधानीमदोषां तां कथं मुंचामिजानकीम्।। અર્થ- જે સીતાને ક્ષણમાત્ર પણ જોયા વિના હું વિરથી આકુળવ્યાકુળ થઈ જાઉં છું તે અનુરક્ત પ્રાણપ્યારી સીતાનો કેવી રીતે ત્યાગ કરું? જે મારા નયનોમાં અને મનમાં સદા અવસ્થિત છે, ગુણોની રાજધાની છે. સર્વથા નિર્દોષ છે, તે પ્રાણપ્યારી જાનકીને હું કેવી રીતે તજું? એક તરફ સામે લોકાપવાદ ઉભો છે અને બીજી તરફ નિર્દોષ પ્રાણપ્રિયાનો દુસહ વિયોગ. કેટલી વિકટ સ્થિતિ છે? અત્યંત મૂંઝવણમાં પડેલા રામ થોડા સમય માટે કિર્તવ્યવિમૂઢ થઈ જાય છે. તે સમયની માનસિક દશાનું ચિત્રણ કરતાં ગ્રંથકાર છેઃ – इतो जनपरीवादश्चेतः स्नेह सुदुस्त्यजः। आहोडस्मि भय - रागाभ्यां प्रक्षिप्तो દિનાન્તરેTો श्रेष्ठा सर्व प्रकारेण दिवौकोयोषितामपि। कथं त्यजामि तां साध्वी प्रीत्या યાતાનિવૈતાના અર્થાત- એક તરફ જનાપવાદ અને બીજી તરફ દુર્યજ સ્નેહ, અહે! હું બન્નેની દુવિધામાં પડેલો ગહન વન વચ્ચે ફેંકાઈ ગયો છું. જે સીતા દેવાંગનાઓથી પણ સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે, સતી સાધ્વી છે, મારા પ્રાણ સાથે એક્ત પામેલી છે, તે સીતાને હું કેવી રીતે તજું? વળી રામ વિચારે છે – एतां यदि न मुंचामि साक्षाद् दुः कीर्तिमुद्गताम। कृपणो मत्समो मह्यां वदैतस्यां न વિદ્યા (૩) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy