SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates SOO એકસો છમું પર્વ પદ્મપુરાણ શ્રીચંદ્ર રાજા, આઠમા ભવમાં પાંચમા સ્વર્ગનો દેવ અને નવમા ભાવમાં રામચંદ્ર અને પછી મોક્ષ. આ તો રામના ભવ કહ્યા. હવે હું લંકેશ્વર! વસુદત્તાદિનો વૃત્તાંત સાંભળ. કર્મોની વિચિત્ર ગતિના યોગથી મૃણાલકુંડ નામના નગરના રાજા વિજયસેનની રાણી રત્નચૂલાનો વ્રજકંબુ નામનો પુત્ર, તેની હેમવતી રાણીનો શંબુ નામનો પુત્ર પૃથ્વી પર પ્રસિદ્ધ તે આ શ્રીકાંતનો જીવ અને હોનહાર રાવણ તે પણ પૃથ્વી પર પ્રસિદ્ધ અને વસુદત્તનો જીવ રાજાનો પુરોહિત, તેનું નામ શ્રીભૂતિ તે હોનહાર લક્ષ્મણ, મહાન જિનધર્મી સમ્યગ્દષ્ટિ તેની સ્ત્રી સરસ્વતીને વેદવતી નામની પુત્રી થઈ તે ગુણવતીનો જીવ હોનહાર સીતા. ગુણવતીના ભવ પહેલાં સમ્યકત્વ વિના અનેક તિર્યંચ યોનિમાં ભ્રમણ કરી સાધુઓની નિંદાના દોષથી ગંગાના તટ પર મરીને હાથણી થઈ. એક દિવસ કીચડમાં ફસાઈ ગઈ, તેનું શરીર પરાધીન થઈ ગયું, નેત્ર ચકળવકળ થવા લાગ્યા, શ્વાસ ધીમો પડી ગયો તે વખતે તરંગવેગ નામના એક વિધાધરે દયા લાવીને હાથણીના કાનમાં મોકાર મંત્ર આપ્યો તે ણમોકાર મંત્રના પ્રભાવથી તેનો કષાય મંદ થયો, વિદ્યાધરે તેને વ્રત પણ આપ્યાં. તે જિનધર્મના પ્રસાદથી શ્રીભૂતિ પુરોહિતની વેદવતી નામની પુત્રી થઈ. એક દિવસ મુનિ આહાર લેવા આવ્યા ત્યારે તે હસવા લાગી. તેના પિતાએ તેને રોકી તેથી એ શાંતચિત થઈને શ્રાવિકા થઈ. કન્યા પરમ રૂપવતી હતી તેથી અનેક રાજાના પુત્ર તેને પરણવા ઈચ્છા કરવા લાગ્યા. આ વિજયસેનનો પૌત્ર શંબુ જે હોનહાર રાવણ છે તે વિશેષ અનુરાગી થયો. આ જિનધર્મી પુરોહિત શ્રીભૂતિએ એવી પ્રતિજ્ઞા કરી કે મિથ્યાદષ્ટિ કુબેર સમાન ધનવાન હશે તો પણ હું તેને પુત્રી નહિ દઉં. તેથી શંબુકુમારે રાત્રે પુરોહિતને મારી નાખ્યો. તે પુરોહિત જૈન ધર્મના પ્રસાદથી સ્વર્ગમાં દેવ થયો અને પાપી શબુકુમાર સાક્ષાત દેવી સમાન વેદવતી જે તેને ઈચ્છતી નહોતી તેને બળાત્કાર પરણવા તૈયાર થયો. વેદવતીને બિલકુલ અભિલાષા નહોતી એટલે કામથી પ્રજ્વલિતએ પાપીએ બળજરીથી એ કન્યાને આલિંગન કરી, મુખે ચુંબન કરી તેની સાથે મૈથુનક્રિડા કરી. વિરક્ત હૃદયવાળી, જેનું શરીર કંપી રહ્યું છે, જે અગ્નિની શિખા સમાન પ્રજ્વલિત છે, પોતાના શીલભંગથી અને પિતાના ઘાતથી અત્યંત દુઃખ પામેલી, લાલ નેત્રથી ગુસ્સે થઈને બોલી, અરે પાપી ! તેં મારા પિતાને માર્યા અને કુંવારી મારી સાથે બળાત્કારે વિષયસેવન કર્યું તેથી હું નીચ! હું તારા નાશનું કારણ થઈશ. મેં મારા પિતાને માર્યા તે મોટો અનર્થ કર્યો છે. હું મારા પિતાના મનોરથનું કદી ઉલ્લંઘન નહિ કરું. મિથ્યાદષ્ટિ સાથે સંગ કરવા કરતાં મરણ ભલું. આમ કહી શ્રીભૂતિ પુરોહિતની પુત્રી વેદવતી હરિકાંતા આર્થિકાની પાસે જઈ આયિકાનાં વ્રત લઈ પરમ દુર્તર તપ કરવા લાગી. કેશલોચ કર્યો. તપથી રુધિર, માંસ સુકવી નાખ્યું. જેના અસ્થિ અને નસો પ્રગટ દેખાય છે, જેણે તપથી દેહને સૂકવી નાખ્યો છે તે સમાધિમરણ કરી પાંચમા સ્વર્ગમાં ગઈ. પુણ્યના ઉદયથી સ્વર્ગનાં સુખ ભોગવ્યાં. શંબુ સંસારમાં અનીતિના યોગથી અતિનિંદા પામ્યો. કુટુંબ, સેવક અને ધનરહિત થયો, ઉન્મત્ત થઈ ગયો, જિનધર્મથી પરાડમુખ થયો. સાધુઓને દેખી હસતો, નિંદ કરતો, મધ-માંસનું ભોજન કરનાર, પાપક્રિયામાં ઉધમી, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy