SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૦ છેતાળીસમું પર્વ પદ્મપુરાણ વિજ્ઞથી યુક્ત છે માટે હે ભવ્ય જીવો! તેની ઇચ્છા મટાડો. જોકે જીવોનાં પૂર્વકર્મના સંબંધથી પરિગ્રહની અભિલાષા થાય છે તો પણ સાધુઓના ઉપદેશથી આ તૃષ્ણા મટે છે, જેમ સૂર્યના ઉદયથી રાત્રિ નિવૃત્ત થાય છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને સીતાનો વિયોગ અને પાતાળલંકામાં નિવાસનું વર્ણન કરનાર પિસ્તાળીસમું પર્વ પૂર્ણ થયું. * * * છેતાળીસમું પર્વ (લંકાના માયામયી કોટનું વર્ણન) રાવણ સીતાને લઈ વિમાનના ઊંચા શિખર પર બેસી ધીરે ધીરે ચાલતો થયો, જેમ આકાશમાં સૂર્ય ચાલે. શોકથી તપ્તાયમાન સીતાનું મુખકમળ કરમાઈ ગયું છે, એમ જોઈને રતિના રાગથી જેનું મન મઢ થયું છે એવો રાવણ સીતાની આસપાસ ફરે છે અને દીન વચન કહે છે કે હે દેવી! કામનાં બાણથી હું હણાઈ રહ્યો છું તો તને મનુષ્યની હત્યા લાગશે. હું સુંદરી ! આ તારું મુખકમળ સર્વથા કોપયુક્ત છે તો પણ તે મનોજ્ઞથીયે અધીક મનોજ્ઞ ભાસે છે. પ્રસન્ન થા. એક વાર મારા તરફ દષ્ટિ કરીને જો. તારાં નેત્રની કાંતિરૂપ જળથી મને સ્નાન કરાવ અને જો કૃપાદૃષ્ટિથી ન જોવું હોય તો તારાં ચરણકમળથી મારું મસ્તક તોડી નાખ. અરેરે ! તારી ક્રીડાના વનમાં હું અશોકવૃક્ષ જ કેમ ન થયો, કે તારાં ચરણકમળની પાનીનો અત્યંત પ્રશંસવા યોગ્યપ્રહાર તો મને સુલભ થાત ! ભાવાર્થ-અશોકવૃક્ષ સ્ત્રીની પાનીના પ્રહારથી ખીલે છે. હે કૃશોદરિ! વિમાનના શિખર ઉપર બેઠેલી તું સર્વ દિશા જો, હું સૂર્યની ઉપર આકાશમાં આવ્યો છું. મેરુ, કુલાચલ ને સમુદ્ર સહિત પૃથ્વીને જો. જાણે કોઈ શિલ્પીએ રચી છે. આવાં વચન રાવણે કહ્યાં ત્યારે તે મહાસતી શીલના સુમેરુ પટની અંદર અરુચિના શબ્દો કહેવા લાગી કે હે અધમ ! દૂર રહે. મારા શરીરનો સ્પર્શ ન કર. અને આવાં નિંધ વચન કદી ન કહે. અરે પાપી ! અલ્પ આયુષ્યવાળા ! કુગતિગામી! અપયશી ! તારો આ દુરાચાર તને જ ભયરૂપ છે. પરાકારાની અભિલાષા કરતાં તું મહાદુઃખ પામીશ. જેમ કોઈ રાખથી દબાયેલી અગ્નિ ઉપર પગ મૂકે તો બળે, તેમ તું આ કર્મોથી ખૂબ પસ્તાઈશ. તારું ચિત્ત મહામોહરૂપી કીચડથી મલિન છે. તને ધર્મનો ઉપદેશ આપવો નકામો છે, જેમ અંધની આગળ નૃત્ય. હું ક્ષુદ્ર! જે પરસ્ત્રીની અભિલાષા કરે છે તે ઇચ્છા માત્ર જ પાપ બાંધીને નરકમાં મહાકષ્ટ ભોગવે છે, ઇત્યાદિ રુક્ષ વચનો સીતાએ રાવણને કહ્યાં. તો પણ જેનું ચિત્ત કામથી ઘવાયું હતું તે અવિવેકથી પાછો ન ફર્યો. અને ખરદૂષણની મદદ માટે જે તેના પરમ મિત્રો શુકહસ્ત, પ્રસ્તાદિ ગયા હતા તે ખરદૂષણના મૃત્યુ પછી ઉદાસ થઈને લંકા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy