SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ] નિયમસાર कर्मणः आत्मानं भिन्नं भावयति विमलगुणनिलयम् । मध्यस्थभावनायामविकृतिकरणमिति विज्ञेयम् ॥ १११॥ इह हि शुद्धोपयोगिनो जीवस्य परिणतिविशेषः प्रोक्तः । यः पापाटवीपावको द्रव्यभावनोकर्मभ्यः सकाशाद् भिन्नमात्मानं सहजगुण -[निलयं मध्यस्थभावनायां भावयति तस्याविकृतिकरण - ] अभिधानपरमालोचनायाः स्वरूपमस्त्येवेति । (મંદ્દાાંતા) છે. [ભગવાનશ્રીકુંદકુંદ आत्मा भिन्नो भवति सततं द्रव्यनोकर्मराशेरन्तः शुद्धः शमदमगुणाम्भोजिनीराजहंसः । मोहाभावादपरमखिलं नैव गृह्णाति सोऽयं નિત્યાનંવાઘનુપમનુળશ્ચિચમારમૂર્તિઃ।।૧૬।। અન્વયાર્થ ઃ——મધ્યસ્થમાવનાયામ્] જે મધ્યસ્થભાવનામાં [ર્મળઃ મિન્નમ્] કર્મથી ભિન્ન [આત્માનં] આત્માને—[વિમતમુળનિતયં] કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને— [માવતિ] ભાવે છે, [વિકૃતિરમ્ રૂતિવિજ્ઞયમ્] તે જીવને અવિકૃતિકરણ જાણવું. ટીકા :—અહીં શુદ્ધોપયોગી જીવની પરિણતિવિશેષનું (ખાસ પરિણતિનું) કથન પાપરૂપી અટવીને બાળવા માટે અગ્નિ સમાન એવો જે જીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન આત્માને—કે જે સહજ ગુણોનું નિધાન છે તેને— મધ્યસ્થભાવનામાં ભાવે છે, તેને અવિકૃતિકરણનામક ૫રમઆલોચનાનું સ્વરૂપ વર્તે છે જ. [હવે આ ૧૧૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ નવ શ્ર્લોક કહે છે ] = [શ્લોકાર્થ :—] આત્મા નિરંતર દ્રવ્યકર્મ અને નોકર્મના સમૂહથી ભિન્ન છે, અંતરંગમાં શુદ્ધ છે અને શમદમગુણરૂપી કમળોનો રાજહંસ છે (અર્થાત્ જેમ રાજહંસ કમળોમાં કેલિ કરે છે તેમ આત્મા શાંતભાવ અને જિતેંદ્રિયતારૂપી ગુણોમાં ૨મે છે). સદા આનંદાદિ અનુપમ ગુણવાળો અને ચૈતન્યચમત્કારની મૂર્તિ એવો તે આત્મા મોહના અભાવને લીધે સમસ્ત ૫૨ને (–સમસ્ત પરદ્રવ્યભાવોને) ગ્રહતો નથી જ. ૧૬૨.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy