SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર निश्चयप्रत्याख्यानयोग्यजीवस्वरूपाख्यानमेतत् । सकलकषायकलंकपंकविमुक्तस्य ૨૦૦ ] [ભગવાનશ્રીકુંદકુંદ निखिलेन्द्रियव्यापारविजयोपार्जितपरमदान्त रूपस्य अखिलपरीषहमहाभटविजयोपार्जितनिजशूरगुणस्य निश्चयपरमतपश्चरणनिरतशुद्धभावस्य संसारदुःखभीतस्य व्यवहारेण चतुराहारविवर्जनप्रत्याख्यानम् । किंच पुनः व्यवहारप्रत्याख्यानं कुदृष्टेरपि पुरुषस्य चारित्रमोहोदयहेतुभूतद्रव्यभावकर्मक्षयोपशमेन क्वचित् कदाचित् संभवति । अत एव निश्चयप्रत्याख्यानं हितम् अत्यासन्नभव्यजीवानाम्; यतः स्वर्णनामधेयधरस्य पाषाणस्योपादेयत्वं न तथांधपाषाणस्येति । ततः संसारशरीरभोगनिर्वेगता निश्चयप्रत्याख्यानस्य कारणं, पुनर्भाविकाले संभाविनां निखिलमोहरागद्वेषादिविविधविभावानां परिहारः परमार्थप्रत्याख्यानम्, अथवानागतकालोद्भव સંસારથી ભયભીત છે, તેને [મુહ્યં પ્રત્યાઘ્યાન] સુખમય પ્રત્યાખ્યાન (અર્થાત્ નિશ્ચય પ્રત્યાખ્યાન) [મવેત્] હોય છે. ટીકા :—જે જીવ નિશ્ચયપ્રત્યાખ્યાનને યોગ્ય હોય એવા જીવના સ્વરૂપનું આ કથન છે. જે સમસ્ત કષાયકલંકરૂપ કાદવથી વિમુક્ત છે, સર્વ ઇન્દ્રિયોના વ્યાપાર ઉપર વિજય મેળવ્યો હોવાથી જેણે પરમ દાન્તરૂપતા પ્રાપ્ત કરી છે, સકળ પરિષહરૂપી મહા સુભટોને જીત્યા હોવાથી જેણે નિજ શૂરગુણ પ્રાપ્ત કર્યો છે, નિશ્ચયપરમતપશ્ચરણમાં નિરત એવો શુદ્ધભાવ જેને વર્તે છે અને જે સંસારદુઃખથી ભયભીત છે, તેને (યથોચિત શુદ્ધતા સહિત) વ્યવહારથી ચાર આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે. પરંતુ (શુદ્ધતા વિનાનું) વ્યવહારપ્રત્યાખ્યાન તો કુદૃષ્ટિ (–મિથ્યાત્વી) પુરુષને પણ ચારિત્રમોહના ઉદયના હેતુભૂત દ્રવ્યકર્મભાવકર્મના ક્ષયોપશમ વડે ક્વચિત્ કદાચિત્ સંભવે છે. તેથી જ નિશ્ચયપ્રત્યાખ્યાન અતિઆસન્નભવ્ય જીવોને હિતરૂપ છે; કારણ કે જેમ સુવર્ણપાષાણ નામનો પાષાણ ઉપાદેય છે તેમ અંધપાષાણ નથી. માટે (યથોચિત્ શુદ્ધતા સહિત) સંસાર અને શરીર સંબંધી ભોગની નિર્દેગતા નિશ્ચયપ્રત્યાખ્યાનનું કારણ છે અને ભવિષ્ય કાળે થનારા સમસ્ત મોહરાગદ્વેષાદિ વિવિધ વિભાવોનો પરિહાર તે પરમાર્થ પ્રત્યાખ્યાન છે ૧. નિરત = ૨ત; તત્પર; પરાયણ; લીન. ૨. જે પાષાણમાં સુવર્ણ હોય છે તેને સુવર્ણપાષાણ કહે છે અને જે પાષાણમાં સુવર્ણ હોતું નથી તેને અંધપાષાણ કહે છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy