SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૪૮: પણ મંગળમય નથી, મંગળકરણ પણ નથી. અહીં કોઈ એમ કહી શકે છે કે આતો ઠીક છે પણ લોકવ્યવહાર પણ જોવો પડે છે. જયારે આખુ લોક એને માંગલિક માને છે તો અમે તેને મંગળ કેમ ન માનીયે? સમાધાન આ છે કે વસ્તુ સ્વરૂપની સાચી સમજણ પૂર્વક લોક વ્યવહારનો નિર્વાહ કરવામાં કોઇ દોષ નથી, પણ સર્વથા મંગળમય માની લેવામાં તથા અન્ય વિશ્વાસ પૂર્વક ધર્મની ક્રિયા માની સ્વીકાર કરવું સારું નથી. અને ઉપર મુજબના “ચારમંગળ” પણ છે તો વ્યવહારથી જ, નિશ્ચયથી તો એક પોતાનો આત્મા જ મંગળમય, મંગળ સ્વરૂપ અને મંગળ કારી છે. એટલે જેને પોતાના જીવનને મંગળમય (સુખી) બનાવવું હોય, તેણે “ચત્તારિ મંગળના પ્રતિપાદ્ય અરહંત વિગેરેનું આલમ્બન લઇને પોતે મંગલમય આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. ઉત્તમ જે લોકમાં બધાથી મહાન હોય, તેને ઉત્તમ કહે છે. લોકમાં અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ જ બધાથી મહાન છે, એટલે તેજ ઉત્તમ છે. જયસેન આચાર્ય “મહાત્મા’ શબ્દની વ્યાખ્યા કરતા લખે છે. : મોક્ષલક્ષણમહાર્થસાધકન્વેન મહાત્મા” અર્થાત્ મોક્ષ લક્ષણવાળા મહાપ્રયોજનને સાધવાને કારણે જ અરહંત, સિદ્ધ ને સાધુ સાચા અર્થમાં મહાન છે. ઉપર મુજબના કથનથી સ્પષ્ટ છે કે સાંસારિક દુઃખોથી છૂટવા અને અતીન્દ્રિય આનંદરૂપ મોક્ષસુખના પ્રયોજનને સાધવામાં પ્રયત્નશીલ સાધુ અને પ્રયોજનને સાધીને પૂર્ણતા પ્રાપ્ત કરવાવાળા, અરહંત અને સિદ્ધ ભગવાન તથા આ પ્રયોજનની સિદ્ધિ જે ધર્મના માધ્યમથી થાય છે, એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008270
Book TitleNamokar maha mantra
Original Sutra AuthorN/A
AuthorRatanchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1990
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size478 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy