SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૧૮ : કે જો એવું છે તો મેં મોહની સેના ને જીતવાનો ઉપાય કરી લીધો છે. એટલે કે અ૨હંતના દ્રવ્ય-ગુણ પર્યાયનાં જ્ઞાનથી પોતાના આત્માનું જ્ઞાન થઇ જાય છે. અને આત્મ જ્ઞાનથી મોહ વિનાશ પામે છે. તો મેં મારા મોહને જીતવાનો ઉપાય કરી લીધો છે. એટલે જેમને મોહનો નાશ કરવો હોય, તેમણે અ૨હંત પરમેષ્ઠીનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઇએ. શાસ્ત્રોમાં અ૨હંત પરમેષ્ઠીનાં ૪૬ ગુણો (વિશેષણો ) નું વર્ણન છે. એમાં કોઇ ગુણ (વિશેષણ ) તો શરીરાશ્રિત છે, કોઇ પુણ્યાશ્રિત છે અને કોઇ આત્મા સંબંધી છે. ૪૬ ગુણોમાં ૩૪ અતિશય, ૮ પ્રાંતિહાર્ય અને ૪ અનંતચતુષ્ટય છે. ૩૪ અતિશયોમાં ૧૦ જન્મના અતિશય તો શરીરથી સંબંધીત છે, ૧૦ કેવળજ્ઞાન અતિશય બાહ્ય પુણ્યસામગ્રીથી સંબંધીત છે, અને ૧૪ દેવકૃત તો સ્પષ્ટ દેવો વડે કરેલા જ છે. ૮ પ્રાતિહાર્ય પણ બાહ્ય વિભૂતિઓ જ છે કેવળ ૪ અનંતચતુષ્ટય જ આત્માના પોતાના ગુણ છે, જે બધાં અરહંતોને હોય છે, અનંત ચતુષ્ટય સિવાય ૪૨ ગુણ (વિશેષણ ) કેવળ તીર્થંકરઅરહંતો ને જ હોય છે, બધાં અરહંતોમાં નથી હોતા. ૪૬ ગુણોનો વિસ્તાર આ પ્રકારે છે. : : જન્મના દશ અતિશય : “અતિશય રૂપ સુગંધ તન, નાંહિ પર્સવ નિહા૨, પ્રિયતિવચન અતુલ્ય બલ, રુધિર શ્વેત આકાર; લચ્છન સહન રુ આઠ તન, સમ ચતુષ્ક સંઠાન, વજ્ર વૃભષ નારાચ જુત, યે જન્મત દશ જાન '', (૧) અત્યન્ત સુંદર શરીર (૨) અતિ સુગંધમય શરીર (૩) મૂત્ર રહિત શરીર, (૫) હિત મિત પરસેવા રહિત શીર (૪) મળ –પ્રિય વાણી - Please inform us of any errors on rajesh@AtmaDharma.com -
SR No.008270
Book TitleNamokar maha mantra
Original Sutra AuthorN/A
AuthorRatanchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1990
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size478 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy