SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૧૩ : પાર્શ્વનાથ ના જેવી જ રક્ષા નથી કરી શકતા ? એવો કોઇ ભેદ તો અરહંત સિદ્ધ ભગવંતોમાં છે જ નહિ. = લૌકિક અનુકૂળતા – પ્રતિકૂળતા પોત-પોતાના ભાવોથી પૂર્વોપાર્જિત પુણ્ય-પાપનું ફળ છે. ભગવાન તેમાં કાંઇ કરતા નથી કેમ કે તેઓતો કૃતકૃત્ય છે તેઓ કાંઇ કરતા નથી કેમ તે તેઓને કાંઇ કરવાનું બાકી રહ્યું નથી તેમણે તો પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે. ભગવાનને સાચા સ્વરૂપમાં ઓળખ્યા સિવાય સાચા અર્થમાં તેમની ઉપાસના પણ થઇ શકતી નથી. પરમાત્મા વીતરાગી તથા પૂર્ણજ્ઞાની હોય છે, તેથી તેમના ઉપાસક પણ વીતરાગતા તથા પૂર્ણજ્ઞાનના ઉપાસક જ હોવા જોઇએ. વિષય-કષાયના અભિલાષી વીતરાગના ઉપાસક હોઇ શકે નહિ. વિષય-કષાયની ઇચ્છાથી ભક્તિ કરવાથી તીવ્ર કષાયના કારણે પાપનો બંધ જ થાય છે. પુણ્યનો બંધ થતો નથી. સાચાદેવનું ખરું સ્વરૂપ નહિ જાણવાવાળા ભક્તોની માનસીક સ્થિતિનું પૃથ્થકરણ કરતા પંડિત ટોડરમલજી લખે છે કે... (૮ “વળી તે અરિહંતને સ્વર્ગ, મોક્ષદાતા, દીનદયાળ, અધમ ઉધ્ધારક અને પતિતપાવન માને છે, તે તો જેમ અન્યમતિ કર્તુત્વબુદ્ધિથી ઈશ્વરને માને છે, તેજ રીતે આ પણ અરિહંત ને માને છે. એમ નથી જાણતો કે ફળ તો પોતાના પરિણામોનું મળે છે. અરિહંત તો તેના નિમિત્ત માત્ર છે. તેથી ઉપચારથી તો એ વિશેષણો સંભવે છે, પરંતુ પોતાના પરિણામ શુદ્ધ થયા વિના અરહંત પણ મોક્ષાદિનાં દાતા નથી.’ k “ વળી અરહંતાદિના નામ પૂજનાદિથી અનિષ્ટ સામગ્રીનો નાશ અને ઇષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થવી માની રોગાદિ મટાડવા તથા ધનાદિની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે અને પૂજન આદિ ક્રિયા કરે છે. પણ ઇષ્ટઅનિષ્ટનાં કારણ તો પૂર્વકર્મનો ઉદય છે, અરહંત તો કર્તા છે જ નહિં, અરહંતાદિકની (મોક્ષમાર્ગ પ્રકાશક સાતમો અધિકાર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008270
Book TitleNamokar maha mantra
Original Sutra AuthorN/A
AuthorRatanchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1990
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size478 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy