SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૯ : “ અ૨હંત ૫૨મેષ્ઠિ ણટઠચદુધાઇકમ્મો, હંસણ સુહણાણ વીરિયમઇયો; સુહદેહત્થો અપ્પા સુદ્ધો અરિહો વિચિંતિજજો ”(બૃહૃદ દ્રવ્યસંગ્રહ ગાથા ૫૦) જેઓએ ચાર ઘાતિયા કર્મોનો નાશ કર્યો છે, જેઓ ( અનંત ) દર્શન- જ્ઞાન-વીર્યવાન છે, જેઓ ઉત્તમ દેહધારી છે અને જેઓ શુદ્ધ ( અઢાર દોષ રહિત ) છે. એવા આત્માઓ અરહંત છે. તેઓનું ધ્યાન કરવા યોગ્ય છે. ર ,, આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીએ અરહંત પરમેષ્ઠીનું સ્વરૂપ અરહંત પદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાના રૂપમાં લખ્યું છે કે... “ જે ગૃહસ્થપણું ત્યાગીને, મુનિધર્મ અંગીકાર કરી, નિજ સ્વભાવ સાધન દ્વારા ચાર ધાર્તિકમોનો નાશ કરીને અનંત ચતુષ્ટયરૂપ બીરાજમાન થયા છે. ત્યા અનંતજ્ઞાન દ્વારા તો પોતાના અનંત ગુણ પયાર્ય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત વિશેષરૂપે પ્રત્યક્ષ જાણે છે, અનંત દર્શન દ્વારા તેઓનું સામાન્ય અવલોકન કરે છે, અનંત વીર્યદ્વારા એવા સામર્થ્ય ને ધારણ કરે છે, અનંત સુખ દ્વારા નિરાકુળ પરમાનંદનો અનુભવ કરે છે. વળી જે રાગ-દ્વેષ વિકારી ભાવોથી રહિત થઇને શાન્તરસ રૂપ પરિમિત થયા છે અને ભૂખ-તરસ આદિ સમસ્ત દોષોથી મુક્ત થઇ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે. અને શસ્ત્ર વસ્ત્રાદિક તેમ જ અંગે વિકારાદિક કામ ક્રોધાદિ નિન્દ ભાવોના ચિન્હોથી રહિત જેઓનું ૫૨મ ઔદારિક શરીર થયું છે. વળી જેમની દિવ્યધ્વનિથી લોકમાં ધર્મતીર્થનું પ્રવર્તન થાય છે, જેમના દ્વારા જીવોનું કલ્યાણ થાય છે. તથા જેમની લૌકિક જીવો પર પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય અને ઘણા પ્રકારના વૈભવોનું સંયુક્ત પણું જોવામાં આવે છે. તથા જેઓને ઇન્દ્રો તથા ગણધરો પોતાના હિત માટે પૂજે છે એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરહંત દેવ છે.” (મોક્ષમાર્ગ પ્રકાશન પાન (૨)) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008270
Book TitleNamokar maha mantra
Original Sutra AuthorN/A
AuthorRatanchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1990
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size478 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy