SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કારણે છે; તેનું જેમ છે તેમ જ્ઞાન કરવું જોઈએ. આત્માનો પારિણામિકભાવ આત્મામાં પરમ પરિણામિકભાવ ત્રિકાળ છે. કેવળજ્ઞાન ત્રિકાળ શક્તિરૂપે છે. કેવળજ્ઞાનની પર્યાય ત્રિકાળ હોતી નથી, પણ તે નવી થાય છે. તે વ્યક્તરૂપે થાય છે. અને પ્રગટ થાય છે ત્યારે કર્મનો અભાવ હોય છે. પૂર્ણ પર્યાયને ક્ષાયિકભાવ કહે છે. તે પારિણામિકભાવ નથી. ક્ષાયોપથમિકભાવ તે અપૂર્ણ દશા છે, તેનો અભાવ થઈને ક્ષાયિકભાવ પ્રગટ થાય છે, તે પારિણામિકભાવ નથી. સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ તે જ પારિણામિકભાવ છે. આત્માનો ચૈતન્યસ્વભાવ ત્રિકાળ છે; નિગોદમાં પણ ચૈતન્યભાવ છે. મતિશ્રુત-જ્ઞાનાદિ જે પ્રગટરૂપે છે તે પારિણામિકભાવ નથી. ચૈતન્યભાવ અનાદિ અનંત છે. સમ્યક્રમતિ, શ્રુત, અવધિ, મન:પર્યાયજ્ઞાન આદિ અને અંતવાળો ભાવ છે અને કેવળજ્ઞાનની આદિ છે પણ અંત નથી. સમયસારની ગાથા છઠ્ઠીમાં કહેલ છે કે આત્મા જ્ઞાયક છે તે પ્રમત્ત નથી અને અપ્રમત્ત પણ નથી; જ્ઞાયક તો એક જ્ઞાયક જ છે. જ્ઞાયકભાવ કહો કે પરમપરિણામિકભાવ કહો તે એક જ છે. ધ્રુવ એકરૂપ શક્તિરૂપે છે તેની વાત છે. નિયમસારમાં તેને કારણપરમાત્મા કહેલ છે. તેના અવલંબને કેવળજ્ઞાન નવું પ્રગટે છે; પણ કેવળજ્ઞાનાદિનો સદ્ભાવ સર્વદા માનવો યોગ્ય નથી. વીર સં. ૨૪૭૯ મા સુદ ૧૨ સોમવાર, ર૬-૧-૫૩ સ્વભાવમાંથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે કર્મ કે શરીરમાંથી કેવળજ્ઞાન આવતું નથી. આત્મા કર્મ ને શરીરથી ભિન્ન છે; રાગદ્વેષ ને અલ્પજ્ઞતા પર્યાયમાં છે. જેને રાગદ્વેષ ને અલ્પજ્ઞતા ટાળવાં હોય તેણે નક્કી કરવું જોઈએ કે મારો સ્વભાવ જ્ઞાન ને આનંદથી પરિપૂર્ણ ભરેલો છે. એવી માન્યતાથી વીતરાગતા ને કેવળજ્ઞાન પ્રગટે છે. દેહની ક્રિયાથી કે વિકાસની ક્રિયાથી શાંતિ આવતી નથી. વિકાર તો અશાંતિ છે. અશાંતિમાંથી શાંતિ આવતી નથી. જ્ઞાન, આનંદ ને શાંતિ શક્તિ-સ્વભાવમાં ભરેલાં છે. તેમાં એકાગ્ર થવાથી જ્ઞાન ને શાંતિ પ્રગટે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008266
Book TitleMoksh marg prakashak kirano Part 2
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy